Mysamachar.in-જામનગર:
રાજ્યમાં હડતાલની ચાલી રહેલી મોસમ વચ્ચે હવે આવતીકાલથી રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પણ પગાર વધારા સહિતની વિવિધ માગણીઓ અંગેની વાટાઘાટ ભાંગી પડતા રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારી અને અધિકારીઓ શુક્ર અને શનિવાર એમ બે દિવસ હડતાળ પર જશે. જ્યારે રવિવારે રજા હોવાથી બેંક કુલ ત્રણ દિવસ બેંકો બંધ રહેતા કરોડો ના વ્યવહારો અટકી જશે, દેશભરની બેંકના 9 યુનિયને આ હડતાળનું એલાન કર્યું છે. પગાર વધારો ઉપરાંત પાંચ દિવસની વર્કિંગ ડે, સ્પેશિયલ એલાઉન્સને મૂળ પગારમાં ભેળવી દેવાની, નવી પેન્શન યોજના બંધ કરવાની, પેન્શન અપડેશન, ફેમિલી પેન્શનમાં સુધારોસહિત અનેક માગણીઓ છે જે નહીં સ્વીકારતા આખરે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જો બેંક હડતાળ રહેશે તો ત્રણ દિવસ કામકાજ ખોરવાશે જેના કારણે અનેક વ્યવહારો અટકી જશે.