Mysamachar.in-જામનગર:
અરબી સમુદ્વમાં ઉદભવેલા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. ત્યારે જામનગર જિલ્લાતંત્ર દ્વારા નાગરિકોને તકેદારીના સુચનો કરવામાં કલેકટર રવિશંકરએ જણાવ્યું કે,વાવાઝોડુ અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલની વાવાઝોડાની ઝડપ પ્રમાણે તે દક્ષીણ ગુજરાતના થોડા ધણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. બે દિવસ પહેલા જિલ્લાવહિવટીતંત્ર પાસે જે રીપોર્ટ આવ્યા છે તે પ્રમાણે દરિયામાં જામનગરની એક પણ માછીમારીની બોટ નથી અને જામનગર જિલ્લાનો કોઇ પણ માછીમાર હાલ દરિયામાં માછીમારી કરવા ન જાય કારણકે વાવાઝોડાના કારણે દરિયાના મોજા વધારે ઉછળવાના હોય જેથી જીવના જોખમની સંભાવના ઉભી થાય તેમ હોય માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરતાંકલેકટર રવિશંકરએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટીતંત્ર પાસે આવેલ છેલ્લા બુલેટીન નં.૧૬ પ્રમાણે જામનગર જિલ્લામાં થોડો ધણો વરસાદ આવી શકે છે. જેથી સાવચેતીના ભાગરૂપે ખેડૂત મિત્રોને તેમની કોઇ જણસ ખુલ્લામાં પડેલ હોય તો તે સુરક્ષિત જગ્યાએ ખસેડવા અનુરોધ કરવામાં આવ્યો છે.