Mysamachar.in-જામનગર:
હાલમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આંતર જીલ્લા પ્રવાસ પુરતી છૂટ આપવામાં આવી છે, પરંતુ આંતરરાજ્ય એટલે કે રાજ્યબહારથી આવતા લોકો માટે નિયમો હજુ પણ કડક છે કારણ કે કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય એવામાં રાજસ્થાનથી બોલેરો કાર મારફત ગુજરાતમાં પ્રવેશ કરી અને જામનગર સુધી પહોચી જતા પોલીસે તમામ નવ ઈસમો સામે કોઈ મંજુરી વિના જામનગરમાં પ્રવેશ કર્યો હોય તેની સામે પંચ બી ના પીએસઆઈ જે.ડી.પરમાર અને સ્ટાફના કરણસિંહ જાડેજાએ જાહેરનામાં ભંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી અને સમરસ હોસ્ટેલમાં કવોરનટાઈન કરાવવામાં આવ્યા છે.