Mysamachar.in-રાજકોટ
લોકડાઉન જેવા કપરાકાળમાં જરૂરિયાતમંદ સુધી જરૂરી રાશન પહોચે તે માટે સરકારે વ્યવસ્થાઓ કરી પણ કોણ જાણે આવી આફતમાં પણ કટકી કરવાવાળોની કમી નહિ હોય તેમ રાજકોટમાં વધુ એક રાશન કૌભાંડ સામે આવતા ચકચાર મચી છે, ‘રાશન માફિયા’ ગરીબોના હક્કનું અનાજ પચાવી પાડી અને તેનું કાળા બજાર કરી નાંખે છે. શહેરના એક સસ્તા અનાજના દુકાનદારે છેલ્લા 2 મહિનાની અંદર 1002 ખોટા બિલ બનાવીને અનાજ સગેવગે કરી લેવાનો મામલો પ્રકાશમાં આવતા અનેક સવાલો ઉઠે તે સ્વાભાવિક છે.
શહેરના બીડી જોશી સસ્તા અનાજની દુકાનમાંથી છેલ્લા 2 મહિનામાં 1002 રેશનકાર્ડધારકોને અનાજ આપ્યા વિના બિલ બનાવ્યા હોવાની વિગતો સામે આવી હતી.આ દુકાનદારે અનાજ જથ્થો વિતરણ ન કર્યો હોવા. છતાં ઓન લાઈન એન્ટ્રી કરી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે કૌભાંડ ખૂલ્લુ પડતા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યો છે, અને જરૂરી તપાસો શરુ કરી છે,રાશન વિતરણનું લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.