Mysamachar.in-જામનગર:
જુગાર અને નશાની આદત પરિવારને આર્થિક બરબાદી તરફ લઇ જતી હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે, અને સામે આવતા રહે છે, એવામાં જામનગરમાં જુગારની લતે એક આઘેડને આપઘાત કરવા મજબુર કર્યો છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો એવી છે કે શહેરના શંકરટેકરી પાણીના ટાંકા નજીક વસવાટ કરતા મહેશ નાથાભાઈ રાઠોડ નામનો વ્યક્તિ જુગાર રમવાની ટેવ વાળો હોય અને જુગારમાં પૈસા હારી ગયેલ હોય અને તેને ચુકવવા માટે બીજા માણસો પાસેથી રૂપીયા ઉછીના લીધેલ હોય જે રૂપીયા દેવા માટે પોતાની પાસે ક્યાય થી પૈસાના મેળ થતો ના હોય જેથી સતત ટેંશનના કારણે પોતાના હાથે ઘરે ઝેરી દવા પી જતા તેનું મોત થયાનું જાહેર થયું છે.