Mysamachar.in-ગાંધીનગર:
કોરોના વાયરસને લઈને રાજ્યમાં થઇ રહેલી કામગીરી અંગે દરરોજ ગાંધીનગર થી રાજ્યપોલીસવડા શિવાનંદ ઝા અને આરોગ્ય વિભાગના અગર સચિવ જયંતિ રવિ પત્રકારોને માહિતી આપીને અવગત કરે છે, ત્યારે આજે સાંજે મીડિયા ને સંબોધન કરતા શિવાનંદ ઝા એ કેટલીક બાબતોને લઈને લોકો પર ટકોર કરતા કહ્યું કે કેટલાક લોકો લોકડાઉનને હજુ હળવાશ થી લઇ રહ્યા છે, તેના લે અને સ્થિતિની ગંભીરતા ને સમજે, વિવિધ બહાના હેઠળ બહાર નીકળતા લોકો સામે કોઈ બહાના ચલાવ્યા વિના કાર્યવાહી કરવામાં આવશે,
સાથે જ તેવોએ એકલા વસવાટ કરતા સીનીયર સિટીઝનો અને એકલી વસવાટ કરતી મહિલાઓને જો રાતોરાત કોઈ તકલીફ હોય, કોઈ સમસ્યા હોય તો પોલીસની મદદ લેવા અનુરોધ કર્યો અને 100, 112 નમ્બર ડાયલ કરી પોલીસની મદદ લેવા જણાવ્યું, અત્યારસુધીમાં રાજ્યમાં જાહેરનામાં ભંગના 3354 કેસ, કોરોનટાઈન ભંગ સહિતના ગુન્હા 1776 અને 8000 થી વધુ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. વધુમાં રાજ્યપોલીસવડાએ રાજ્યમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ અને અધિકારીઓને અપીલ કરતા કહ્યું કે પોલીસકર્મીઓ ફરજ બજાવવામાં મક્કમતા જરૂર રાખો પણ મગજ શાંત રાખીને સંવેદનશીલ બનીને ફરજ બજાવો, દરેક માણસ માટે લોકડાઉનનો સમય મુશ્કેલભર્યો છે, અને લોકોની મદદ કરવાની ભાવનાથી કામ કરવાની ટકોર પણ રાજ્યપોલીસવડા એ કરી.