Mysamachar.in-જામનગર
લોકડાઉનના બીજા તબક્કાના અંતિમ દિવસો સુધી શહેરની બંધ રહેલી મીઠાઇ અને ફરસાણની દુકાનો તેમજ ગોડાઉન કોલ્ડરૂમમા રાખવામાં આવેલો મીઠાઈ અને ફરસાણનો જથ્થો ખાવાલાયક છે કે નહીં તે અંગે કમિશનર સતીશ પટેલની સૂચનાથી મનપાના ફૂડ સેફટી ઓફિસરોની ટીમે દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મીઠાઇ અને ફરસાણની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતુ, જેમાં શહેરના જોલી બંગલા પાસે આવેલ લક્ષ્મી હોટલમાંથી 85 કિલો ફરસાણ તેમજ કૈલાશસ્વીટમાર્ટમાં થી 50 કિલો મીઠાઈ અને 250 કિલો ફરસાણ ખાવાલાયક ના હોય તંત્રએ નાશ કર્યો હતો
આ ઉપરાંત રણજીતનગરમાં લક્ષ્મી ફરસાણ માર્ટમાં થી 10 કિલો મીઠાઈ અને 80 કિલો ફરસાણ, એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પરની હરીઓમનમકીન એન્ડ સ્વીટ નામની દુકાનમાંથી 60 કિલો મીઠાઈ અને 80 કિલો ફરસાણ ગોકુલનગરના હરિઓમ સ્વીટ એન્ડ નમકીન નામની પેઢી માંથી 200 કિલો મીઠાઈ અને 100 કિલો ફરસાણ મળી કુલ 915 કિલો મીઠાઈ અને ફરસાણનો જથ્થો નાશ કર્યો હતો.