Mysamachar.in-જામનગરઃ
આ વખતે જાણે કે ખેડૂતથી કુદરત રૂઠી હોય એમ ચોમાસું લંબાયું અને કમોસમી વરસાદ પણ પડ્યો જેના કારણે ખેતરમાં ઉભા પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે, જો કે સરકારે ખેડૂતો સમક્ષ મદદનો હાથ લંબાવી ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો, જેની કામગીરી હાલ ચાલુ જ છે. ત્યારે જામનગર કલેક્ટર રવિ શંકરે જોડિયા માર્કેટિંગ યાર્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી.અહીં તેઓએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરીનો રિવ્યું કરી જરૂરી સૂચનો કર્યા હતા. તો મગફળી વેચવા આવેલા ખેડૂતો સાથે કલેક્ટરે ચર્ચા પણ કરી હતી. ઉલ્લેખનીય છે નાફેડના નિયમ પ્રમાણે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષ સરકાર 8 લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરશે. ગત વર્ષે 4.5 ટન મગફળીની ખરીદી કરી હતી.