Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ એટલે કે ટાઉન પ્લાનિંગ શાખા તેના કાવાદાવાઓ ને કારણે ભારે વગોવાયેલી શાખા છે, આ શાખા દરવર્ષ ચોમાસા પૂર્વે સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદના અનુમાનને ધ્યાને રાખીને શહેરમા આવેલ જૂની અને જર્જરિત ઇમારતો અથવા ઇમારતોનો ભાગ જર્જરિત થયો હોય તેનો સર્વે કરી અને આવી ઈમારતોના આસામીઓને મનપાની ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા માત્ર નોટીસો આપવાનું રાબેતામુજબનું નાટક કરવામાં આવે છે, આ વર્ષ પણ આ નાટકની શરૂઆત કરી દેવામાં આવી છે,
જે ઇમારતો કે તેના જજરિત ભાગોને સુરક્ષિત કરવામાં આવે અથવા તો પાડી નાખવામાં આવે અને જો આમ કરવામાં ના આવે તો મનપાની એસ્ટેટ શાખાને સાથે રાખીને આવી ઇમારતો અને તેના ભાગને તોડી પાડવામાં આવશે આવી વાતો માત્ર કરી અને બાબુઓ કામ કર્યાનો સંતોષ માને છે, આ વર્ષ પણ મનપા દ્વારા ૧૧૭ આસામીઓને નોટીસ આપવામાં આવે છે, જેમાં ૨૭ વધુ જર્જરિત છે, જયારે 18 ઈમારત બિનવપરાશી છે, જે સર્વે કરવામાં આવ્યો છે તેમાંથી કેટલીક સરકારી ઇમારતો કે તેના ભાગનો પણ સમાવેશ થાય છે.પણ માત્ર નોટીસો આપવાથી કોઈ વાંધો નથી પણ કુદરત ના કરે અને ખરેખર ક્યારેક આફત આવી અને આવી જર્જરિત ઇમારતો કડડભૂસ થશે તો તેના જવાબદાર કોણ રહેશે તે મનપાના વહીવટીવડાએ નક્કી કરવું પડશે.