Mysamachar.in-જામનગર:
ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ ટી.પી.સ્કીમ અમલમા મુકાય તો સંપુર્ણ માળખાકીય વિકાસ સમય મર્યાદામા પુરો કરવો ફરજીયાત છે,એટલે જ તો કોર્પોરેશનના "કાબા" સતાવાહકો એ દિશામા આગળ વધતા નથી,અને એટલે જ "શહેર આડેધડ વધે છે..પરંતુ વિકસતુ નથી"..જામનગર શહેરની વસ્તી દિન-પ્રતિદિન વધી રહી છે,આજે લગભગ સાત લાખથી વધુની વસ્તી ધરાવતા આ શહેરમાં ઊડીને આંખે વળગે તેવો વિકાસ જોવા મળતો નથી,આ માટે અધિકારીઓની અણઆવડત સાથે શાસકોની દીર્ઘદ્રષ્ટિની ઉણપ જવાબદાર હોય તેવું લાગે છે,મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં માત્ર બે ટીપી સ્કીમ બનાવી છે,ત્યારે સવાલ એ થાય છે કે આ શહેર છે કે કોઈ મોટું ગામડું છે,?
આપણી નજીકમાં જ જોઇએ તો પોરબંદરનો વિકાસ જોવા જેવો છે,તો વળી જુનાગઢ જે બીગ વિલેજ કહેવાતુ તે છેલ્લા દાયકામા દર્શનીય સીટી બની ગયુ તો રાજકોટ તો અગાઉ આડેધડ જ વધતુ હતુ તે હવે મોટાભાગના લોકો જાણે છે કે સુવિધાસભર વિકાસનગર બની ગયુ પરંતુ એક વખતનુ પેરિસ આ નગર બીજા નગરોથી પાછળ છે.તે સવાલ કેટલાય જામનગરીઓ ને મનમાં ખૂંચી રહ્યો છે,જામનગરથી તદન નજીકમાં આવેલા રાજકોટ શહેરમાં પ૦ ટીપી સ્કીમ અમલમાં છે, અમદાવાદમાં ર૦૦ ટીપી સ્કીમ અમલમાં છે,તેની સામે જામનગર મહાનગરપાલિકાએ અમલમાં મૂકેલી તેમની પોતાની જુની ટીપી સ્કીમો જામી નહિ અને નવી મુકેલી છે ટીપી સ્કીમો હજૂ અદ્ધરતાલ છે એટલે કે ભેંસ પાણીમાં છે,
આમ સર્વાંગી વિકાસ કેમ થાય વળી નવી મુકાયેલી સ્કીમમા "ચોક્કસના હેતુ" સિદ્ધ કરવાના કારસા પણ છે.બીજી તરફ જાણકારોમા થતી ચર્ચા મુજબ જામનગર મહાપાલિકા ધારે તો નવી-નવી ટીપી સ્કીમો અમલમાં લાવી શકે. આ માટે દૂરંદેશી જોઈએ, પરંતુ શહેરના ચોક્કસ અધિકારીઓને જાણે વિકાસમાં રસ હોય તેમ ક્યાંય જણાતું નથી.ઉલ્ટાનું એવું કહેવાય છે કે,મનપાના બે અધિકારી એવો માહોલ સર્જી રહ્યા છે કે જાણે તમામ અધિકારી પોતાના ખિસ્સામાં છે.
-ભ્રષ્ટાચાર વધ્યો….?
જામનગર શહેરની વસ્તીમા છેલ્લા કેટલાક સમયમાં ખૂબ જ વધારો થયો છે,તેની સરખામણીએ વિકાસ જોવા મળતો નથી. શહેરમાં પ્રવેશ માટે આજે પણ વર્ષો જુના એવા ફક્ત ચાર માર્ગો છે. નવા કોઈ રીંગ રોડ બન્યા નથી. આથી એવું ફલિત થાય છે કે અમુક ચોક્કસ બિલ્ડરોને ફાયદો થાય તે પ્રકારની જ કામગીરી થઈ રહી છે,આ તમામ ગતિવિધિ જોતા એવું જણાઈ રહ્યું છે કે, અગાઉના નામાંકિત અધિકારીના ભ્રષ્ટાચારને પણ પાછળ રાખી દે તેવો કથિત ભ્રષ્ટાચાર થતો હોય તે પ્રકારે કામ થઈ રહ્યું છે.
-હદ વધ્યાનો લાભ શું?
નગરની હદ વધી તેને વર્ષો તો થઇ ગયા તો ભળેલા નવા ગામોની જમીનોમાંથી પાંચ નવી ટીપી સ્કીમ તો આરામથી થાય બીજુ હદ વધતા નગરની ચોતરફ તળાવ, ગાર્ડન, સ્મશાન,સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન સેન્ટર, અન્ડર-ઓવર બ્રીજ વગેરે વધવા જોઇએ તે તો કંઇ દુર રહ્યુ આ વિસ્તારો મા વર્ષોથી પાણી,ગટર,રોડ,લાઇટ પણ પુરતા નથી તેવી જ બેદરકારી ઝોન ફેરબદલ કે નવા ઝોન જાહેર કરવામા છે,એકંદર જવાબદારી ટાળવા ટાઉન પ્લાનીંગ સ્કીમ મુકાતી નથી.