Mysamachar.in-જામનગર:
તાજેતરમાંજ જામનગરના લીમડાલેન નજીક એક યુવક પર હુમલાની ઘટના સામે આવ્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે બાદ ફરિયાદના દિવસો વીતી ચુક્યા બાદ પણ કોઈ પગલા ભરવામાં ના આવતા ફરિયાદી દ્વારા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપી સહિત ઉચ્ચકક્ષાએ આક્ષેપોવાળી ફરિયાદ અરજી રજીસ્ટર એડી મારફત કરીને મનીષ રોહેરા સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે, ઉચ્ચકક્ષાએ કરવામાં આવેલ રજૂઆતની કોપી આપવા ફરિયાદી પોતે પણ આજે “માયસમાચાર” કાર્યાલય ખાતે પહોચ્યા હતા,લીમડાલાઈન રાજપુતપરામાં વસવાટ કરતા યોગરાજસિંહ ભાવુભા ચુડાસમા નામના ફરિયાદીએ મનીષ રોહેરા વિરુદ્ધ સીટી બી ડીવીઝનમાં પોતાના પર હુમલો કરવા અંગે અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી હતી, ફરીયાદીએ કરેલ અરજીમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે….
સામેવાળા મનીષ રોહેરા જામનગરમાં પાન મસાલા વગેરેનો જથ્થાબંધ વેપાર ધંધો કરે છે. અને યોગરાજસિંહ અગાઉ મનીષના ભાઈ પાસેથી તમાકુનો સામાન લેતા હોય ત્યારે તોછડાઇભર્યું વર્તન કરતાં તે બાબતની વાત મનીષને કરતાં તા. 26-5-2020 ના રોજ લીમડા લાઇન રાજલક્ષ્મી બેંકરી પાસે મનીષે યોગરાજસિંહને ગાળો કાઢી જમણી આંખ પાસે ઢોકા વડે ત્યાં તથા ડાબા હાથમાં કોણી પાસે લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી આ બાબતે હુમલાનો ભોગ બનનાર જામનગર જી.જી.હોસ્પીટલમાં સારવાર કરાવી તા.27-5-2020ના રોજ આ બનાવ બાબતે જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન પ્ર.મ.આ.ક્રમાંક 11202009200790 થી મનીષ રોહેરા સામે આઈપીસી કલમ 323, 504. 506 2 જી.પી એકટ કલમ 135:1:મુજબ ધોરણસર ગુનો ફરીયાદ નોંધાવેલ છે. જે બનાવને કેટલાય દિવસો વીતી જવા છતાં પણ હજુ સુધી આરોપી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં ના આવતા ફરિયાદી દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતોનો મારો ચલાવવામાં આવ્યો છે, અને કડક પગલા લેવાઈ તેવી રજૂઆત પ્રધાનમંત્રી થી માંડીને રાજ્યના મુખ્યમંત્રી સુધી રજીસ્ટર એડી મારફત કરવામાં આવી છે,
અરજીમાં જણાવ્યા મુજબ મનીષ રોહેરા બનાવ સમયે બ્લેક કલરની હ્યુન્ડાઈ વરના મોટરકાર લઈને આવેલા જે અંગેની હકીકત બનાવના સ્થળ પાસે ફીટ કરવામાં આવેલા સીસીટીવીમાં સ્પસ્ટ દેખાઈ આવે છે. તેમ છતાં પોલીસ દ્વારા ઈરાદાપૂર્વક જાણી જોઈને હ્યુન્ડાઈ વરના મોટરકાર પોલીસે મુદામાલ તરીકે આજદિન સુધી કબજે કરવામાં આવેલ નથી એટલું જ નહીં આ બનાવ વખતે આરોપીની મોટરકારમાથી તહોમતદાર સીવાય બીજા ચાર ઇસમો કે જે આ કામના તહોમતદારના મળતિયા હતા તે ઉતરેલા તેવું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમ છતાં મનીષ રોહેરા સીવાયના ચાર મળતિયા ઇસમો બાબતે પોલીસ દ્વારા કોઈજ તપાસ કરવામાં આવેલ નથી.
મનીષ રોહેરા પાન મસાલાના મોટા ધનાઢ્ય વેપારી છે અને તાજેતરમાં સરકાર દ્વારા કોવિડ-19 કોરોના મહામારી દરમ્યાન જાહેર કરવામાં આવેલ લોકડાઉનના સમયગાળા દરમ્યાન મનીષ રોહેરા દ્વારા પાન મસાલા બીડી વગેરેનું તમાકુના મોટા પાયે કાળા બજાર કરવામાં આવ્યાનો કથિત આક્ષેપ પણ અરજીમાં કરવામાં આવ્યો છે, પાન બીડી મસાલા તમાકુના કથિત કાળા બજાર થકી મનીષ રોહેરા દ્વારા અઢળક નાણાં કમાયેલ છે. અને તેમાં પોલીસવિભાગની પણ મીઠી નજર હોવાનો આક્ષેપ છે, મનીષ રોહેરા દ્વારા સરકારને ભરવાપાત્ર જીએસટી કર નહીં ભરવાના ઇરાદાથી પાન બીડી મસાલા તમાકુના મૂળ ભાવ કરતાં અનેકગણા ઊંચા ભાવ લઈ લોકો પાસેથી તથા છૂટક વેપારીઓ પાસેથી અઢળક નાણાં પડાવેલા છે. આવું કામ પોલીસ ખાતાના મીઠી નજર અને મહેરબાની તળે કરેલ હોવાનું આખા શહેરમાં ચર્ચાય છે તે કારણે મનીષ રોહેરા દ્વારા આચરવામાં આવેલ ગુના અંગે તેની સામે પોલીસે કોઈજ કાર્યવાહી કરવામાં આવેલ નથી
મનીષ રોહેરા પૈસા પાત્ર વેપારી છે. અને મોટા માથાઓ અને ભારે ઇસમોનું જુથ ધરાવે છે. આ ફરીયાદ નોધાવવાના કારણે મનીષ રોહેરા ફરિયાદી ઉપર ખુબજ ઉશ્કેરાઈ ગયેલ છે. પોતાના મળતિયા માણસોને ફરિયાદીના ધરની આજુબાજુ મોકલે છે. અને ફરિયાદીની હત્યા કરાવી નાખવાની તજવીજ કરી રહેલ આશંકા વ્યક્ત કરાઈ છે, નાણાનાં જોરે પોતાના મળતિયા માણસોને સોપારી કે હવાલો આપી પોતાનું ખુન કરાવી નાખશે તેવી વ્યાજબી દહેશત છે. તેથી ભવિષ્યમાં જો ફરિયાદી યોગરાજસિંહ સાથે કાઇ જ અધટીત ધટના બને કે મારી સાથે કાઇ જ અજુગતું અને તો તે માટે મનીષ રોહેરાને જવાબદાર ગણવા અરજદાર દ્વારા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
મનીષ રોહેરા દ્વારા સતત રીતે પોતાના મળતિયાને યેનકેન રીતે અમોને ફરીયાદ પરત પાછી ખેચી લેવાની તથા સમાધાન કરી લેવાની ધાકધમકી આપે છે. એવામાં તારીખ 26-5-2020 ના રોજ અમો ફરીયાદીને રાત્રીના સમયે મોબાઈલ ફોન નંબર ઉપરથી ચાર વખત ફોન આવેલ જે ફોન મે રીસીવ કરેલ નહીં અને મે સામેથી આ મોબાઈલ ફોન ઉપર ફોન કરતાં અજય રોહેરા કે જે મનીષ રોહેરાનો સગો ભત્રીજો થાય છે. તેમના દ્વારા મારો સાથે ગાળાગાળી કરી મને જોઈ લેવાની ધમકી આપેલ છે. મનીષ ઉશકેરાટમાં છે, અને મારી સાથે કાઇપણ કરી શકવા આર્થીક રીતે સક્ષમ શક્તિમાન છે. તેથી મારા જાનમાલની સલામતી નથી લોકડાઉનના સમયગાળા દરમ્યાન આચરવામાં આવેલી કથિત ગેરરીતિ કાળાબજાર વેગેરેનો તટસ્થ ન્યાયિક તપાસ કરવી મનીષ રોહેરા સામે કડક કાનૂની કાર્યવાહી અને ફરિયાદીને પોતાના જીવનું જોખમ હોય રક્ષણ પૂરું પાડવા પણ રજૂઆત કરવામાં આવી છે.