Mysamachar.in-જામનગર:
જામનગર ની જી.જી.હોસ્પીટલમાં ઉભી કરવામાં આવેલ કોવીડ 19 હોસ્પીટલમાં તબીબોની મહેનત ખરા અર્થમાં રંગ લાવી રહી છે, અને જેટલી ઝડપથી કોરોના પોજીટીવ દર્દીઓ સામે આવી રહ્યા હતા, તેટલી ઝડપથી તેવો સ્વસ્થ પણ થઇ રહ્યા છે, અને તેમને હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી રહી છે, આજે જામનગર કલેકટર રવિશંકરે આપેલ માહિતી પ્રમાણે હોસ્પીટલમાંથી 5 દર્દીઓ જામનગરના જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના 1 દર્દીની સારવાર પૂર્ણ થઇ જતા તેને રજા આપવામાં આવી છે, અત્યારસુધીમાં જામનગરમાં 11 દર્દીઓને રજા આપવામાં આવી છે, જામનગર જીલ્લામાં આજ દિવસ સુધીમાં કોરોના પોજીટીવના 34 કેસ નોંધાયા છે, જેમાથી બે બાળકોના મોત નીપજ્યા છે અને 22 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.