Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના નેશડામા રહેતા એક યુવકે મોતને વહાલું કર્યું છે,જોડિયા પોલીસ મથકમાં નોંધાયેલ વિગતો મુજબ દિનેશ વશરામભાઈ મકવાણા નામના યુવકે મહિન્દ્રા પીકઅપ ગાડી લોન પર લીધેલ હોય,જેના હપ્તાઓ ચઢી જતા કોર્ટમાં કેશ થયેલ હોય અને નોટીસો મળી રહી હોવાના કારણે દિનેશ સતત ટેન્શનમા રહેતો હોય,જે ટેન્શન ને કારણે તેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું જોડિયા પોલીસમા તેના પિતાએ જાહેર કર્યું છે.