Mysamachar.in-જામનગર:
જામનગરના સાતરસ્તા સર્કલ નજીક આવેલ “જેટકો” કાર્યરત છે, જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન…પણ આ કચેરીના કેટલાક ભોપાળા આગામી દિવસોમાં છતાં થાય તેવી વકી વ્યક્ત થઇ રહી છે, જેમાં વિવિધ મુદ્દાઓ હેઠળ માંગવામાં આવેલ માહિતીથી ઘટસ્ફોટ થાય તેમ છે, સામાન્ય રીતે સરકારી કચેરીની ઝીણામાં ઝીણી બાબતની લેખિત નોંધ કરવાની હોય છે, પણ જામનગર જેટકો હેઠળ કાર્યરત કેટલા સબસ્ટેશનો છે,?અને તેમાં સ્ક્રેપની નિકાસ અંગેની શું વ્યવસ્થાઓ છે, તે ઉપરાંત ખરીદીના પત્રકો, અને સરકારમાંથી આવેલ મશીનીરી, ખરીદી કરવામાં આવેલ મશીનરી, હાલના સ્ટોક સહિતની માહિતી માંગવામાં આવી ત્યારે જવાબમાં અત્રેની કચેરીમાં સંગ્રહિત ના હોવાનું જણાવવામાં આવ્યું છે, જે અરજદારની દ્રષ્ટિએ શંકા પ્રેરનારું છે.કારણ કે સ્વાભાવિક છે કે કચેરીઓમાં તો ટપાલો કે પત્રવ્યવહાર થાય તેમાં પણ આઉટવર્ડ અને ઈન્વરડ નંબરો પડતા હોય છે, તો શું અહી આવી કોઈ વ્યવસ્થા નહિ હોય કે કેમ..?