Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની ટેક્સશાખા ફરી વિવાદમાં આવી છે, અને આ વખતે વિવાદમાં આવવા પાછળનું કારણ મનપાની હદમાં 2013માં ભળેલા નવાવિસ્તારોનો ટેકસનો પ્રશ્ન છે, શહેરના એક વકીલ દ્વારા આ બાબતે માહિતી માંગવામાં આવી તેમાં સંતોષકારક જવાબ ના મળ્યા અને અંતે તેને કમિશ્નરને પણ આ મામલે ખાનગીરાહે તપાસ કરી હાઉસટેક્સ શાખાની ગેરીરીતી ખુલ્લી પાડવા રજૂઆત કરી છે, રજૂઆતમાં વકીલ હિમાંશુ અગ્રાવત દ્વારા મનપાની ટેક્સ શાખા પર ગંભીર આક્ષેપો કર્યા છે, જે રજૂઆત થઇ છે તેમાં કહેવામાં આવ્યું છે કે હાઉસ ટેક્સ વિભાગમાં ખુબજ ગેરરીતિ થઈ રહી છે. ખોટી ડિમાન્ડ ઊભી કરે છે, ખોટી જ્ગ્યાઑ વધારીને મોટી મોટી માંગણીઑ ઊભી કરવામાં આવી રહી છે, અને પછી પાછળ થી મોટી મોટી ડિમાન્ડ સામે સમાન્ય ટેક્સના રૂપિયા ભારવીને પોતે પોતાના ખિસ્સાઓ ભરે છે.
કોઈપણ જગ્યાઓની કોઈપણ પ્રકાર માપણી કરેલ નથી તેમજ કોઈપણ જગ્યાનો દ્સ્તાવેજને ધ્યાનમાં લીધેલ નથી. આડેધડ જ્ગ્યાઓનું વર્ણન લખીને જ્ગ્યાની ખોટી માપ સાઈઝ લખીને ખોટી ડિમાન્ડ ઊભી કરવામાં આવેલ છે. તા. ૦૧/૧૦/૨૦૧૩ થી જે નવા એરિયા કોર્પોરેશનની હદમાં આવેલ છે. તે અરિયાનાં કુલ ૭૯૪૪૧ નવા એસએસસી જોડાયેલ છે. જેમાં ધણી ખરી જ્ગ્યાઓમાં માપણી ખોટી લખાયેલ છે. અને ખૂબ મોટી ડિમાન્ડ ઊભી થયેલ છે. અને તેની સામે અમુક એવા કિસ્સાઓ પણ ધ્યાને આવેલ છે કે જેને એસએસસી ની માંગણની ડિમાન્ડ બહુ મોટી હોય અને ટેક્સ સાવ સામાન્ય ભરાવીને ખાતું સરભર કરવામાં આવેલ હોય છે.કે જેમાં કોઈ પણ પ્રકારની ફેર આકારણી અંગે અરજી પણ આવેલ ન હોય અને કોઈપણ ફેરફાર વગર સેટલમેન્ટ કરેલ છે,
આવા કિસ્સાઓમાં જો કમિશ્નર કક્ષાના અધિકારી ફેર માપણી/આકારણી ચેક કરે તો ધણીબધી ગેરરીતિઓ સામે આવે તેવી શક્યતા અરજકર્તા વકીલ હિમાંશુ અગ્રાવતે દર્શાવી છે, જે જ્ગ્યાના એરિયા મોટા હોય તે ખાસ ધ્યાને લેવાની જરૂર છે, કેમ કે મોટી જ્ગ્યાઓમાં ગેરરીતિ થયેલ હશે મિલ્ક્ત વેરા શાખામાં આ અંગે માહિતી અધિકાર અન્વયે તા.૩૧/૧૨/૨૦૧૯ માં એક અરજી કરેલ હતી. જેના જવાબ માં તા. ૨૭/૦૧/૨૦૨૦ ના હૂકુમ નં jmc /tax /398/2019-20 થી જણાવવામાં આવેલ કે માગવામાં આવેલ માહિતી ત્રાહીત વ્યકિત ની હોય.તેમની સંમતિ મળ્યા પછી લગતા કાગળ આપવામાં આવશે તેવો ઉડાઉ જવાબ આપવામાં આવેલ છે જે માહિતી ત્રાહીત વ્યક્તિની મિલ્ક્ત કે દ્સ્તાવેજ ની વિગત માગેલ નથી. પરંતુ કોર્પોરેશન ને ટેક્સ વિશે માહિતી માગેલ છે કે આ એસએસસી નંબર માં તમે કેટલા રૂપિયા માગણા નોટીશ બજવેલ છે. અને તેની સામે ટેક્સ ની રકમ કેટલી ભરવેલ છે. અને તેમાં કોઈ ફેર આકારણી માટેની અરજી આવેલ છે.
ખોટા એસએસસી ને મનપાની ટેક્સબ્રાંચ છાવરે છે કે તેને દંડે છે તે જોવા માટે આ અરજી કરેલ હતી મિલ્કતવેરા શાખાના અધિકારીઑ દ્વારા અપાયેલ ઉડાઉ જવાબ અને ડિમાન્ડ પ્રત્યે ભરવામાં આવેલ મામૂલી રક્મ પરથી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ દ્વારા કોઈ પ્રકારે ગેરરીતિ થતી હોય. તેઓ આમાં સંડોવાયેલ હોય તેવી શંકા દ્રઢ બને છે. માહિતી આપેલ નથી પરંતુ એમને એ ખ્યાલ નથી કે આ બધી માહિતી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનન ની વેબસાઇટ ઉપર જોવા મળે છે. ત્યારે આ મામલે છણાવટ કરી ને આ મામલે ગેરરીતિનો ઘાટ ઘડનાર અધિકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરી અને મોટા એસએસસી ને ફરીથી ટેક્સ ની રકમ ઉધરાવી ને પેનલ્ટી સહિતની રકમ વસુલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
શું કહે છે આસી.કમિશ્નર (ટેક્સ)…
આ અંગે જયારે મનપાના આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા કરવી જોઈતી કાર્યવાહી જેમ કે આકારણી, આકરણી બાદ નોટીસો, નોટીસ બાદ વાંધા સૂચનો સાંભળવામાં આવ્યા છે અને તે બાદ બિલોનો બજવણી નિયમમુજબ કરવામાં આવી છે, એટલે કે ગેરરીતીનો કોઈ અવકાશ રહેતો નથી.