Mysamachar.in-જામનગર:
મુખ્યમંત્રી વિજયરૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી. વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ના આવે માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠક યોજાઇ. આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી. જેમાં જામનગરમાં કોવિડ-૧૯ અંતર્ગત થયેલ કામગીરી મુખ્યમંત્રીશ્રીને જણાવવામાં આવેલ હતી.
-ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલ જામનગરમાં ૧૦૦ આઇસોલેશનબેડની વ્યવસ્થા છે જેને વધારીને ૭૦૦સુધી લઈ જઈ શકાય તેવા આયોજન સાથે કોવિડ-૧૯માટે નવી જી.જી.જી. હોસ્પિટલ સજ્જ છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સિક્કા સી.એચ.સી ખાતે ૨૦ બેડની વ્યવસ્થાનું આયોજન છે. ઉપરાંત ૨ ખાનગી દવાખાનામાં જેમાં ૫ આઇસોલેશનબેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
-હાઉસ ટુહાઉસ સર્વેની કામગીરી ૧૦૦ ટકા પૂરી કરવામાં આવેલ છે.
-અત્યાર સુધી વિદેશ પ્રવાસ કરીને આવેલ વ્યક્તિઓની સંખ્યા ૧૨૨૩તેમાંથી ૮૧૦જામનગર જિલ્લાના છે. (જેમાંથી હાલ સુધી ક્વોરેંટાઇનકરેલ વ્યક્તિઓની સંખ્યા ૭૦૭છે તથા બાકી રહેતા ૧૩ વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે.)
-હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરેલ વ્યક્તિઓની સામે કરેલ ફરિયાદ-૫
-ડીસ્ટ્રીકટ ક્વોરેંટાઇન ફેસિલિટી સેન્ટરની સંખ્યા ૮ છે જેની કુલ ક્ષમતા ૧૦૬૦વ્યક્તિ છે.
-ડિસ્ટ્રિક્ટ ક્વોરેંટાઇનમાં રાખેલ વ્યક્તિઓની સંખ્યા ૨૦ વ્યક્તિ છે.
-કુલ નિયત કરેલ આશ્રયસ્થાનની સંખ્યા ૩ છે જેમાં ૮૦૦ આશ્રિતોનો સમાવેશ કરી શકાય તેમ છે. હાલ આશ્રયસ્થાનમાં કોઈ વ્યક્તિઓને રાખવામાં આવેલ નથી.
-હાલ સુધીમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એન.એફ.એસ.એ. કાર્ડધારકોને ૯૫.૩૨ ટકાથી વધુનું અનાજ વિતરિત થયેલ છે.
-લોકડાઉનને કારણે જરૂરિયાતમંદ લોકોનેકરેલ રાશનકીટવિતરણની સંખ્યા ૧૫૪૭૯છે.
-દરરોજ કુલ ૨૧ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અંદાજીત કુલ ૧૨,૦૦૦ વ્યક્તિઓને તૈયાર ભોજન બપોરે તેમજ સાંજે પૂરું પાડવામાં આવી રહેલ છે.
-૨૧ જેટલી એન.જી.ઓ.ના સહયોગ સાથે અત્યાર સુધીમાં ૧,૮૬,૦૧૭ જેટલાફૂડ પેકેટસનું વિતરણ કરેલ છે. વહીવટીતંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રાશનકીટ તથા ફૂડ પેકેટ્સનું કુલ ૨,૦૧,૪૯૬નું વિતરણ સમગ્ર જિલ્લામાં થયેલ છે.
-જિલ્લામાં હાલની સ્થિતિએ પોઝિટિવ કેસોની સંખ્યા ૧ છે.જેનું મૃત્યુ થયેલ છે. (ગામ.દરેડતા. જામનગર ગ્રામ્ય)
-શંકાસ્પદ કેસોમાં કુલ ૫૭ સેમ્પલ પૈકી તમામ નેગેટિવ આવેલ છે. પેન્ડિંગ સેમ્પલની સંખ્યા શૂન્ય છે.
-અત્રેના જિલ્લા ડિઝાસ્ટર, પોલીસ તથા આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમની બહોળા પ્રમાણમાં જાણ થાય તે હેતુથી સ્થાનિક સમાચાર પત્રો,લોકલ/ કેબલ ટી.વીતેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ છે.