Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
તાજેતરમા હાલાર સહિત રાજ્યભરમા બાળાઓ તરુણીઓ યુવતીઓની છેડતીઓ અપહરણો શોષણો દુષ્કર્મો સહિતના મામલે અનેકવિધ મહિલા સંસ્થાઓ, મહિલા આગેવાનો તેમજ સામાન્ય વર્ગના તેમજ અંતરિયાળ વિસ્તારોમા રહેતા બહેનોના અભિપ્રાય જાણતા એક જ સુર નિકળે છે કે મહિલા સશક્તિકરણ તો જે હોય તે અથવા અમુકે કહ્યુ અમને ખબર નથી સશક્તિકરણ શુ છે પરંતુ અમને ભય સતાવે છે દીકરીઓ ઘરે મોડી આવે તો જોખમ લાગે છે, માટે સુરક્ષાનો અનુભવ થાય તે જરૂરી છે બીજી તરફ દ્વારકા જીલ્લામાં ઘડી ડીટર્જન્ટ કંપનીની કોલોનીમા માસુમ બાળા પીંખાયેલી તેના બે વર્ષ બાદ તે કેસ વણ ઉકેલ જેવો જ છે,
અમુક કેસમા પરિવારના સગા સ્નેહીથી ભય તો રસ્તામા ક્યારેક કોઇ "વરૂઓથી" ભય તો વળી કામ( મજુરીથી માંડી સોફેસ્ટીકેડેડ જોબ)ના સ્થળે ક્યારેક ભય સહિત હાલમાં હાલાર સહિત ગુજરાતભરમાં સ્ત્રી અત્યારચારના ગુન્હાઓનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે, અને અસામાજીક તત્વોએ ખુબ જ માથુ ઉચકયું છે,.કાયદો હાથમાં લઇને ખુલ્લેઆમ ફરે છે ત્યારે ગુજરાતમાં હાલની કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ સામાન્ય જનતા માટે ખુબજ નુકશાનકારક સાબીત થઇ છે અને સ્ત્રી અત્યાચારના ગુન્હાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જાય છે.
આ અંગે ઉચ્ચકક્ષાએ થયેલી રજૂઆતમાં જણાવેલ છે કે સ્ત્રી અત્યાચાર તથા મહિલાઓ સાથેના દુષ્કર્મની પ્રવૃતિ ગુજરાતના પશ્ચિમના છેવાડાના વિસ્તાર ઓખામંડળ સુધી વિસ્તરી ગઇ છે. આશરે દોઢેક વર્ષ પહેલા દ્વારકા તાલુકાના કુરંગા ખાતે કાર્યરત આર.એસ.પી.એલ. લી. કંપનીની કોલોનીમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયેલ અને તેની તટસ્થ તપાસ થવાને બદલે કંપનીના ઉચ્ચ અધિકારીઓ તથા સરકારી બાબુઓ સાથે મિલાપીથી આ પ્રકરણનું ભીનું સંકેલી લેવામાં આવેલ હોવાની ચર્ચાઓ આજે પણ થાય છે, આમ તો દફતરેજ કરાયુ છે, આ કેસમાં ૧૮૦૦ નિવેદન લેવાયા હતા છતાય પોલીસ ને તાગ મળ્યો ન હતો,
ત્યારે સ્ત્રી સાથેના અત્યાચારનો વધુ એક કિસ્સો તાજેતરમાં જ પ્રકાશમાં આવેલ હતો તે બનાવની વિગતો અનુસાર દ્વારકા તાલુકાની હમુસર સરકારી પ્રાથમિક શાળાની શિક્ષિકા સાથે બે શખ્સોએ છેડતી કર્યાનો બનાવ તાજેતરનો જ છે, આવા જામનગર શહેર જિલ્લામા અનેક બનાવોની જેમ તાજેતરનો સાવકી દીકરી ઉપર બાપ અને ભાઇઓના દુષ્કર્મને બહેન સહિતનાઓના હચમચાવી મુકનાર ત્રાસ સહિત અનેક સ્રી અત્યાચારના કિસ્સાઓ વધ્યા છે, ત્યારે સ્ત્રી અત્યાચારને નાબુદ કરવા રાજ્ય સરકાર દ્વારા કાયદાઓ વધુ મજબુત કરીને ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવે તે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને અત્યંત જરૂરી બાબત છે.
ગુજરાત સરકાર દ્વારા મહિલાઓમાં સાક્ષરતાનો દર વધારવા ક્ન્યા કેળવણી યોજના અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ યોજનાઓ અમલમાં મુકીને મહિલાઓના સર્વાંગી વિકાસ તથા ઉજ્જવળ ભવિષ્ય અંગે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં મહિલા અનામતનો કાયદો અમલમાં લાવીને મહિલાઓને પુરૂષ જેટલુ જ સ્થાન અને સન્માન મળે તેવા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તે ખુબ જ આવકારદાયક બાબત છે. ત્યારે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર ખુબ જ ગતિશીલ છે, તો શિક્ષણથી માંડીએ દરેક સ્થળે મહિલાઓની સુરક્ષા માટે પણ ખાસ એકશન પ્લાન તૈયાર કરીને કાયદામાં થોડા ફેરફાર કરી મહિલા સલામતી અંગે તાત્કાલીક કડક કાયદો અમલમાં મુકવામાં આવે અને મહિલાઓની સુરક્ષા-સલામતી માટે વિશેષ ઘ્યાન આપવામાં આવે તેવી રજૂઆતો ઉઠી છે, નોંધપાત્ર અને શરમજનક બાબત તો એ છે કે સ્રી શોષણ અત્યાચાર યોનપિડા ના અનેક કેસો તો અનેક કારણોસર બહાર નથી આવતા તેવા કિસ્સામા સરકાર નિર્ભયતા આપી શકશે? સલામતિ આપી શકશે? તેવા વેધક પ્રશ્નો અમુક મહિલા સંસ્થાના આગેવાનોએ કર્યા છે.