Mysamachar.in-ગાંધીનગર
આજે ગુજરાત સહીત ભારતમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે, ત્યારે કોરોનાના કેસો રાજ્યમાં સતત વધી રહ્યા છે, અને સૌથી વધુ કેસોની સંખ્યા અમદાવાદમાં જોવા મળી રહી છે, રાજ્યમાં કોરોના વાયરસ પોજીટીવ નો આંક 600 ને પાર પહોચ્યો છે જયારે 26 દર્દીઓના અત્યારસુધીમાં મોત થઇ ચુક્યા છે, ત્યારે ગુજરાતવાસીઓએ ઘણી જાગૃત્તતા બતાવવાની જરૂરિયાત હોય તેમ લાગે છે, અને ઘરમાં રહી સુરક્ષિત રહેવું પડશે, રાજ્યમાં નોંધાયેલા આજ દિવસ સુધીના કેસો પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 351, સુરત42, વડોદરા 107, રાજકોટ 18, ગાંધીનગર 16, ભાવનગર 24, પાટણ 14, ભરૂચ 11, કચ્છ મહેસાણામાં ચાર-ચાર કેસ, પોરબંદર, છોટા ઉદેપુર ત્રણ ત્રણ કેસ, ગીરસોમનાથ, પંચમહાલ અને બનાસકાંઠા બે બે કેસ, જામનગર, મોરબી, સાબરકાઠા અને દાહોદ એક એક કેસ નોંધાયા છે.