Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના પોજીટીવ કેસોની સંખ્યા સતત ને સતત વધી રહી છે, ત્યારે ખાસ હોટસ્પોટ અમદાવાદ નો વિસ્તાર કેન્દ્રસ્થાને છે, એવામાં આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા કહ્યું કે આજે સવાર સુધીમાં રાજ્યમાં કોરોના પોજીટીવનો આંકડો 308 સુધી પહોચ્યો છે, જયારે 19 દર્દીઓના મોત થઇ ચુક્યા છે, જો જિલ્લાવાર આંકડાઓ પર થયેલ જાહેરાત મુજબ સતાવાર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 153, ગાંધીનગર14, સુરત 24, વડોદરા 39, રાજકોટ 18, ભાવનગર 22, કચ્છ 4, મહેસાણા અને ગીરસોમનાથ બે –બે કેસ, પોરબંદર 3, પાટણ 14, છોટા ઉદેપુર 2, આણંદ 2, ભરૂચ 4, જયારે પંચમહાલ, જામનગર, મોરબી, સાબરકાંઠા, દાહોદમાં એક એક કેસો નોંધાયા છે.