Mysamachar.in-જામનગર:
આજે જામનગરમાં છૂટછાટ મળ્યાના પ્રથમ દિવસે જ કોરોના વાયરસ પોજીટીવના એક દિવસમાં 7 કેસો નોંધાયા છે, સવારે 2 કેસ સામે આવ્યા બાદ સાંજે કુલ 5 કેસ સામે આવ્યા છે, જે કેસ સામે આવ્યા છે તેમાં એક જ પરિવારના 4 લોકોના રીપોર્ટ પોજીટીવ આવ્યા છે, તે ગઈકાલે જે બાળકનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો તેના માતા-પિતા અને ભાઈ બહેનનો સમાવેશ થાય છે, અન્ય એક કેસમાં શરુ સેક્શન રોડ મરઘા ઉછેર કેન્દ્ર નજીક રહેતા 1 દસ વર્ષીય બાળકનો રીપોર્ટ પણ પોજીટીવ આવ્યો છે. કુલ કેસોની સંખ્યા 42 સુધી પહોચી જવા પામી છે.