Mysamachar.in-જામનગર :
જામનગર મહાનગરપાલિકા આડેધડ બાંધકામોની મંજુરીઓ અને ગેરકાયદેસર બાંધકામોને સેહ આપવા મુદ્દે પંકાયેલી છે, તાજેતરમાં જ જામનગરમાં બે મોટી આગની એવી ઘટનાઓ ઘટી કે જેમાં સહેજમાં મોટી દુર્ઘટનાઓ ઘટતી અટકી ગઈ….પણ શું તે પછી પણ કોઈ જાગ્યું તો કે કોઈ નહિ…પાછી આગ લાગે થોડાક નો જીવ જાય પછી કાર્યવાહી કરાઈ તેવી કદાચ વિચારસરણી હશે…? પણ જામનગરના ખુબ તજજ્ઞ લોકો છે તેની સાથે જયારે આવી ઘટનાઓ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી ત્યારે એક સૌથી ગંભીર અને મોટો મુદ્દો પ્રકાશમાં આવે છે.તે છે 2019 પહેલાનાં કોમર્શીયલ અને હાઈરાઈઝ બિલ્ડીંગોની તમામ પ્રકારની તપાસ….
આવું શા માટે તો કે મનપા દ્વારા પાછલા બે દાયકામાં એકાદ પૂર્વ અધિકારીના આશીર્વાદ અને અમુક પૂર્વ પદાધિકારીઓની મિલીભગતને કારણે શહેરમાં જ્યાં ત્રણ સ્કુટર પણ એકીસાથે ના જઈ શકે તેવા વિસ્તારોમાં એક નહિ બે નહિ પણ પાંચ પાંચ માળની બાંધકામની મંજૂરીઓ આપી દેવામાં આવી છે, કદાચ ત્યારે જુના જીડીસીઆર મુજબ હાઈરાઈઝ બિલ્ડીંગ હોય તો જ ફાયર સેફટી ફરજીયાત હતી, પણ દુર્ઘટના થોડી બિલ્ડીંગની હાઈટ કે તે વિસ્તાર જોઇને બને છે…માટે નવા જીડીસીઆર માં તો ફાયર સેફટીની તમામ જોગવાઈઓ સ્પસ્ટ છે, તે ઠીક પરંતુ…
જામનગર મનપાનીના માત્ર ફાયર શાખા પણ એસ્ટેટ શાખા, ટાઉનપ્લાનિંગ શાખા વગેરે એ 2019 પૂર્વે નિર્માણ પામેલ દરેક કોમર્શીયલ રેસીડેન્સીયલ બિલ્ડીંગોમાં જરૂરી તમામ તપાસ જેવી કે ત્યાં ગેરકાયદેસર બાંધકામ થયા છે કે કેમ, પ્લાન નકશા મુજબ જ બિલ્ડીંગ બની છે, ત્યાં આવન જાવન થઇ શકે તેવા રસ્તાઓ છે કે કેમ..? ફાયર સેફટી કે છે કે મીંડું છે..આ તમામ બાબતોની સંયુક્ત તપાસની તાતી જરૂરિયાત એટલા માટે છે કે દરવખતે દિવસો સરખા નથી હોતા અને દરવખતે માત્ર ફાયર શાખા પર ઠીકરું ફોડી નાખવાથી કઈ નહી થઇ જાય તે પણ સમજવું જરૂરી છે.
જો આવી તપાસ અને કાર્યવાહી ના થાય અને ના કરે અને મોટી દુર્ઘટના ઘટે તો કોની જવાબદારી ફિક્સ કરવી…કારણ કે બિલ્ડીંગો બનાવનાર તો જે-તે એસોસિએશન ને સોંપી પોતાનો ફાયદો લઈને ચાલતી પકડી લે છે, તો પકડશો કોને..? કે હજુ સુરતની ઘટના થવાની જામનગરમાં રાહ જોવી છે.તે મનપાએ અત્યારથી નક્કી કરી લેવું જોઈએ.