Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા અને વિવાદ એકબીજાનો પીછો છોડતું નથી,અને આગામી દિવસોમાં કદાચ એક વધુ વિવાદ સામે આવે તો નવાઈ નહિ…મનપા દ્વારા બાંધકામ એટલે કે વિકાસ પરવાનગીની મંજૂરી આપવામાં આવતી હોય છે,જેના માટે હાલ નવા નિયમ અમલમા છે,જે વધુ કડક જોગવાઇઓવાળા છે,માટે જુના નિયમ મુજબ બાંધકામ પરવાનગી મેળવવા મહાનગરપાલિકામા "ખેલ" પડે તે માટેની નેટ પ્રેક્ટીસ શરૂ થઇ છે,જે માટે ચાલી રહેલી ગતિવિધીઓ અમુક ચબરાકોના ધ્યાનમા આવી છે,જો કે જુના નિયમ મુજબ પરવાનગી મળે તેવી કોઇ જોગવાઇ છે.?
આધારભૂત સુત્રોના જણાવ્યા મજબ કરોડોની કીંમતની ગણાતી જમીનોમા જુના જીડીસીઆર મુજબ પોતાનો પ્લાન પાસ કરાવવા માટે ત્રણ જેટલા ડેવલોપર,બિલ્ડર ઉંધા માથે થયા હોવાનું સુત્રો જણાવે છે,અને કેટલાય પ્રયાસો પછી ના ફાવ્યા એટલે હવે મનપાના જ એક સતાધારી પાસે તળિયા ઘસી કામ કરાવવાના હવાતિયા મારી રહ્યા છે,જેના પગલે કરોડોની કીમતની જમીનમાં જુના જીડીસીઆર મુજબ કામ કરાવવા માટે અધિકારીઓ પર દબાણ વધી રહ્યાનુ પણ સુત્રો જણાવે છે,પરંતુ લગત વિભાગના અધિકારી જો આ કામ કરે તો ફિક્સમાં મુકાઈ જાય તેમ છે,માટે હા ભણતા નથી ત્યાં સુધીની વાત હાલ જાણવા મળે છે.
-ઓફર મોટી હોય દાઢ ડળકી
એક સતાધારીએ કામ મોટું હોય રસ દાખવ્યો ઉપરથી ઓફર પણ મોટી હોય સહેજે દાઢ ડળકે જે માટે હાલ એક સતાધારી ગમે તેમ કરી આ ખેલ પાડવાના મુડમા છે,અને જેના પાસે કામ કરાવવું છે તે અધિકારીઓએ બીજા કોઇ "કામ"પાર પાડ્યા છે,તેના સંશોધન કરી તેના આધારે પણ અધિકારીઓને દબાવી શકાય તો તે દિશામા પણ ખણખોદ કરી રહ્યા છે,
-શુ ખેલ પાર પડશે?
શું જુના જીડીસીઆર મુજબ થશે પ્લાન મંજુર થશે? તે તો હાલ મોટો સવાલ છે…નવા નિયમો મુજબ ડેવલપરોને તકલીફ એ છે કે એક તો જો બીનખેતી બાકી હોય તો લે આઉટ મંજુર થાય તેમાંથી ૪૦% જમીન કોર્પોરેશનને આપવી પડે બીજુ જુના કરતા નવા નિયમમા ખુલ્લી જગ્યા-માર્જીન વધુ છોડવુ પડે તો લગડી જમીન બેય રીતે જાય માટે જ જુના નિયમ મુજબની આ જહેમતનો ખેલ પાર પડશે કે કેમ તે કોકડુ એક સતાધારી અને લગત વિભાગ વચ્ચે અંટસ રૂપે પડયુ છે.