Mysamachar.in-જામનગર:
ઓનલાઈન પરમીશનને સહારે જે લોકોને અન્ય જિલ્લાઓમાં જવા માટેની મંજુરી મળી રહી છે, તે લોકો મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાં આવી રહ્યા છે, આ બાબત ચિંતાજનક પણ છે, લોકડાઉન-૩માં જે છૂટછાટ આપવામાં આવ્યા બાદ તેમજ આંતર રાજ્ય અને આંતર જિલ્લા ફેરફેરની છૂટ બાદ એકબીજા જિલ્લામાં જવા લોકોનો ઘસારો વધવા લાગ્યો છે, અને તેને કારણે જે જામનગરમાં પણ પોજીટીવ કેસોની સંખ્યા વધી રહી છે, ધ્રોલ પીએસઆઈ કાંટેલિયાના જણાવ્યા મુજબ લોકડાઉન શરુ થયાથી આજે બપોર સુધીમાં ધ્રોલ ચેક પોસ્ટ પરથી 800 જેટલા વાહનો જિલ્લામાં પ્રવેશ્યા છે, અને આજે 256 વાહનો પ્રવેશ્યા છે,
વધુમાં પીએસઆઈ જણાવ્યું કે અહી આવતા તમામ વાહનોમાં સંપૂર્ણ ચેકિંગ થાય છે, અને જે લોકો રેડઝોનમાં થી આવે તેને ધ્રોલ નજીકના કોરોનટાઈન સેન્ટરમાં મુકવામાં આવે છે, અન્ય લોકોને જેનું વાજબી કારણ અને મંજુરી હોય તેને જ મેડીકલ પરીક્ષણ બાદ પ્રવેશ આપવામાં આવે છે, અને અત્યારસુધીમાં આવા 800 વાહનો અને આજે 256 વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાં માલવાહક વાહનો સહિતનો સમાવેશ થાય છે, છેલ્લા ત્રણ દિવસમાં જામનગરમાં બહારથી આવેલા લોકો પૈકી 4 લોકો કોરોના પોઝિટીવ આવ્યા છે. જામનગરમાં હજુ સુધી સ્થાનિક સંક્રમણ જોવા નથી મળ્યું પરંતુ બહારથી આવતા લોકોને કારણે હવે સંક્રમણનો ખતરો વધી ગયો છે.