Mysamachar.in-વડોદરા:
ગુજરાતમાં હવે ચૂંટણીઓ નજીક આવતી જતી દેખાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 60 દિવસ પછી જાહેરાત કરવામાં આવશે, સીઆર પાટિલના આ નિવેદન બાદ એટલું તો ચોક્કસ નક્કી થયું છે કે હવે ચૂંટણીને બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. વડોદરાના સાવલીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ચૂંટણીલક્ષી એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આચાર સંહિતા લાગુ થવા આડે હવે માત્ર 60 દિવસ બાકી રહ્યા છે. 60 દિવસ બાદ ચૂંટણી જાહેર થઈ શકે છે. સીઆર પાટીલએ આગામી ચૂંટણી અંગે કહ્યું હતું કે આચાર સંહિતા આડે હવે માત્ર 60 દિવસ બાકી રહ્યા છે અને હવે સમય રહ્યો નથી.અને કલાક કલાકનો પ્લાન થતો હોય ત્યારે કોઈ જગ્યાએ બે કલાક અપાય નહિ..અને અમારે તો હજુ 182 સીટો પર પ્રચાર કરવાનો છે તેમ પણ પાટીલે કહ્યું હતું.