Mysamachar.in-જામનગર
જામનગરના મેઘપર નજીક ઈંડાભુરજી અને ભાત આરોગ્યા બાદ 5 મજુરોને ફૂડ પોઈઝ્નીગ થવાને કારણે ઝાડા અને ઉલટીઓ થવા લાગતા જામનગર જીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, આ અંગેની માહિતી આપતા મેઘપર પીએસઆઈ કૌશિક સિસોદિયાએ જણાવ્યું કે આ ઘટના ગતરાત્રીના બની છે, જેમાં મેઘપર નજીક એક ભાડાના મકાનમાં વસવાટ કરતા અને મજુરી કામ કરતા મજુરોએ ઈંડા લાવી અને પોતાના ઘરે જ ઈંડાભુરજી અને ઈંડાવાળા ભાત આરોગ્યા હતા અને જે બાદ તેમને ઝાડા ઉલ્ટી હતા જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક નું મોત થયું છે જયારે અન્ય 4 મજૂરો સારવાર હેઠળ છે. જીવોની સારવાર જીજી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.