Mysamachar.in-જામનગર
જામનગર નજીક આવેલ ખોજા બેરાજા ગામે વાડી વિસ્તારમાં વસવાટ કરતા એક પરીવારના સભ્યો પર હુમલો કરી કાર,રોકડ અને દાગીના સહિત રૂ.8.62 લાખની લૂંટ ચલાવી ગેંગ નાશી જતા પોલીસ વિવિધ પાસાઓ પર તપાસ કરીને આ ગેંગને ઝડપી લેવા કામે લાગતા પોલીસેઆ ગુન્હાને અંજામ આપનાર ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે,
જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામે થોડા દિવસો પૂર્વે વાડી વિસ્તારમાં રહેતા રામભાઈ ઓડેદરાના પરિવાર પર હુમલો કરી આદિવાસી ગેંગ દ્વારા લુંટ ચલાવવામાં આવી હતી. લુટારુઓએ પિતા પુત્રી અને તેના ભાઈને માર મારી વાડીમાં રહેલ કાર, દાગીના અને રોકડ સહિત રૂપિયા સાડા આઠ લાખની રોકડ લુંટી નાશી ગયા હતા. આ સમગ્ર મામલે ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમો કામે લાગી અને અંતે સફળતા મળી છે,
સીસીટીવી સર્વેલન્સ ઉપરાંત બાતમીદારોના નેટવર્કથી એલસીબીના સંજયસિંહ વાળા અને નિર્મળસિંહ એસ જાડેજાને મળેલ માહિતીને આધારે આ ધાડલૂટને અંજામ આપવામાં જે ફરીયાદી છે તેની વાડીમાં અગાઉ કામ રાખતા જ્ઞાનસીંગદેવકા એમપી વાળો સંડોવાયેલો છે અને તે હાલ બોટાદ જીલ્લાના રાણપર ગામે હોવાથી તેને ઝડપી પાડી તેની પૂછપરછમાં દિનેશ મીનાવા, ભવાન રાયસિંગ, બીલું આદિવાસી, કરો આદિવાસી તે તમામની અટક કરી વધુ તપાસ માટે અગિયાર દિવસના રિમાંડ મેળવવમાં આવ્યા છે.આ કાર્યવાહી એલસીબી પી.આઈ.કે.જી ચૌધરી, પીએસઆઈ કે.કે.ગોહીલ,આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, એ.એસ.ગરચર, સી.એમ.કાંટેલિયા અને તેમની સાથે એલસીબી, ફર્લો સ્કવોડ, ટેકનીકલ સેલ, પંચ બી સ્ટાફ વિગેરેએ કરી હતી.