Mysamachar.in-જામનગર
મૂળ જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામના રાબડીયા પરિવારના મેહુલભાઈ રાબડીયાના પિતાનું યુ.પી.મથુરા ખાતે મોત થતા મેહુલભાઈ તેમની માતા અને તેમના કાકા ત્રણ દિવસ પૂર્વે મથુરા ગયા હતા, જ્યાં અંતિમવિધિ પૂર્ણ થયા બાદ મેહુલભાઈ તેમની માતા અને કાકા કે જે કાલાવડ તાલુકાના બાંગા ગામના રહીશ છે, તે પરત કાર મારફતે કાલાવડ આવવા માટે નીકળ્યા હતા, ત્યારે ગતરાત્રીના ગુજરાત બોર્ડરમાં આવી ચુક્યા બાદ બનાસકાઠા નજીક અમીરગઢ પાસે કાર ચલાવી રહેલા ડાઈવરને ઝોકું આવી જતા ગાડી પલટી મારી જતા કારમાં સવાર ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા, ઘટના બાદ આજે બપોરે ત્રણેયના મુતદેહ વતન કાલાવડના બાંગા ખાતે લાવવામાં આવ્યા અકસ્માતમાં ત્રણ લોકોના મોતના કારણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.