Mysamachar.in-જામનગર
હાલમાં કોરોના મહામારી વચ્ચે જામનગર કોવીડ 19 હોસ્પીટલમાંથી આજે 5 દર્દીઓ સ્વસ્થ થઇ જતા તેમને રજા આપવામા આવી છે, અને હાલ 12 દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે જામનગરના કોઈનું કાઈ ચાલે નહી તેમ આજે એમ.પી.શાહ મેડીકલ કોલેજમા અભ્યાસ કરતા અને જી.જી હોસ્પિટલના 10 રેસીડેન્ટ તબીબ અને 2 ફેકલ્ટીને અમદાવાદ કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ પર મોકલવામાં આવ્યા છે, વધુમાં જી.જી હોસ્પીટલમાથી 10 વેન્ટીલેટર પણ અમદાવાદ ખાતે જરૂરિયાત હોય મોકલવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.ત્યારે મહત્વનું છે કે અગાઉ જામનગરથી અમદાવાદ ફરજ પર ગયેલ તબીબોમાંથી 5 તબીબોના રીપોર્ટ પોજીટીવ આવ્યા હતા ત્યાં જ આજે વધુ 12 તબીબોને અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે.