Mysamachar.in-જામનગર:
જામનગરમાં ફુડ ચેકીંગના નામે નાટક એક દાયકાથી ચાલે છે,તેની સાથે-સાથે ભેળસેળ વાળા,નબળા, બગડેલા, અખાદ્ય,ચીજવસ્તુ,ફળફળાદી,શાકભાજી,ખાદ્યચીજો,નાસ્તા,પકીંગ ખાદ્ય,ઠંડાપીણા,વગેરે ધૂમ વેચાઇ રહ્યા છે,..પરંતુ તંત્રના છાપેલા કારણ જેવા ઓ માત્ર ચોક્કસ સ્થળોએ જ તપાસ કરીને સંતોષ માની લે છે,.. જેના કારણે જન આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે.
એક તરફ ખાદ્યચીજ વસ્તુઓની માંગ વધતી જાય છે,તેની સામે શાકભાજી,ફળ,અમુક અનાજ,ડ્રાયફ્રુટ,તેજાના,દૂધ, માવા,તેલીબીયા વગેરેની શોર્ટેજ છે કે,પછી મોંઘા છે,જેના કારણે દરેક સ્થળે કવોલીટી પ્રોડકટસ વેચાતી નથી માટે લોકો તો જે મળે તે પીએ છે,ખાય છે જેનાથી જન આરોગ્ય ઉપર ખતરો છે,તેમાય જ્યારે હાલ ઉનાળાની સીઝનમાં તો ચોખ્ખાઇ ન રખાય તો વધુ તકલીફો ઉભી થઇ શકે છે,
ગાંઠિયાના તેલમાં ‘પરસેવો’ ઉડતી ધૂળ જુનુ થઇ ગયું
ગાંઠીયા (જુદા જુદા જાતના) ભજીયા વગેરે તળાતા હોય તે દ્રશ્યો જોવા જેવા હોય છે,એક તો દુકાનની બહાર નીકળીને ચુલા ઉપર તાવડો મુકાણો હોય,તેલ તળ્યુ કે નહી તે માટે અમુક દુકાનદારો કપાળના પરસેવાના બુંદની છંટકોર તેમાં નાખે એટલે ખબર પડે અને રોડ ઉપરથી ઉડતી ધૂળ તો ખરી જ,વળી દુકાન નિયમીત સાફ ન થતી હોય તો તેની રજ તેમાં પડેને અલગ ફરસાણ,નાસતાની કેબીન,દુકાન,ઠેલા,ધાબાઓ ઉપર જ વધુમાં વધુ ગીરદી હોય છે,જેમાં શહેરનો કોઇ વિસ્તાર બાકાત જ નથી,…ત્યારે આ દરેક સ્થળે ચીજવસ્તુ સારી વપરાય,જામનગર તંદુરસ્ત રહે છે કે કેમ,સફાઇ થાય છે કે કેમ,ઢંકાય છે કે કેમ આવી અનેક બાબતોના ચેકીંગ નિયમીત સઘન જરૂરી છે,
ચોક્કસ વિસ્તારોમાં જ ચેકીંગ અન્યત્ર રામરાજ
શહેરમાં કોર્પોરેશનના જાબાંઝ ફ્રુડ ઇન્સ્પેટરો (હવે ફુડ સેફટી ઓફીસરો) જુના સીટીના વિસ્તારમાં જ ફળ, શાક, મીઠાઇ, ફરસાણ, ખાદ્યચીજ, રેસ્ટોરન્ટ, હોટલ ચેક કરે છે,જામનગર હવે ૧૩૨ ચો.કી.મી. વધ્યુ છે,અને અડધી વસ્તી સરેરાશ રોજ ૧૦૦થી૨૦૦ ગ્રામ નાસ્તા ઠેર ઠેર કરે છે,તેવી નાની-મોટી સાડા પાંચ હજારથી વધુ જગ્યા તપાસ વગરની છે.
બીલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ‘ડેરી’ઓ
જામનગરની રોજની દૂધની જરૂરીયાત ૩ લાખ લીટરની છે,.તેની સામે પશુપાલકો અને રાજ્ય સ્તરીય ડેરીઓમાંથી મળીને દોઢ લાખ લીટર દૂધ આવે છે,..ત્યારે રોજ જે ઘટ પડે છે તે દૂધ કયાંથી આવે છે? દૂધ તો ગમે ત્યાં મળી જ રહે છે અને બીલાડીના ટોપની જેમ ફુટી નીકળેલી ડેરીઓ દૂધ,દહીં,છાસ,માખણ,ઘી,મલાઇ,વગેરે જાણે ચોવીસેય કલાક હાજર હોય તેમ વેચે છે..આ બધુ કયાંથી આવે છે કેવી રીતે બને છે?ડુપ્લીકેટ દૂધ,ઘી બનાવવાના ધમધમતા ખુણા ખાચરાના સ્થળો અંગે જાબાંઝો અજાણ હોય તેવું માનવાને કોઇ કારણ જ નથી તો હવે તંત્ર કામ ન કરે તો લોકોએ તો જાગૃત થવુ જ પડશે.
ઉકરડા, કચરાપેટી, મુતરડી, ગટર નજીક ધમધમતા નાસ્તા બજાર..
શહેરમાં જાણીતી ભેળ,પાણીપુરી,સમોસા,વડાંપાઉ,પફ,ઘુઘરા,દાબેલી,પાઉભાજી,પુલાવ,રગડા,સહિતના નાસ્તા ઉપરાંત પુરીશાક,ગાંઠિયા શાક,ગાંઠિયા ભજીયાની કેબીન,રેકડી કે નાસ્તા બજાર મોટા ભાગે ઉકરડા,કચરાપેટી, મુતરડીઓ,ગટરો નજીક ખડકાયેલી હોય છે,લોકો તો ભુખ લાગે માટે નાસ્તો કરવા જ્યાં નજીક પડે કે ગમે ત્યાં જાય પરંતુ તંત્ર કયારે તપાસ કરશે,આ બધા સ્થળોએ મચ્છર,માખી,જંતુઓ જે રોગકારક છે,તેના આક્રમણ,દુર્ગંધ,ખરાબ વાતાવરણ અને પાણી તથા ચોખ્ખાઇના અભાવ જનઆરોગ્ય ઉપર ખતરાજનક છે.