Mysamachar.in-જામનગર
જામનગરના નગરજનોનો વ્યુ મનપાની નવી બોડીના હોદેદારો અને કોર્પોરેટરો માટે લેવામા આવ્યો તો મોટા ભાગના નાગરીકોએ તેમની અપેક્ષા આ રીતે જણાવી છે કે……..””.પક્ષે તમને હોદો આપ્યો છે,પક્ષે તમને ટીકીટ આપી ને અમોએ તમને મત આપ્યા છે. શહેર માટે સારું કામ કરજો, ખરેખર વિકાસ વિકાસની વાતો નહી પણ કઈક નક્કર કરજો, જનતાની અપેક્ષા હોય છે તેના પર ખરા ઊતરજો જામનગરનો અન્ય શહેરોની સરખામણી કરતા ઓછો વિકાસ થયો છે તો નગર આગળ વધે તે માટે સંપીને કામ કરજો ગ્રુપ ના પાડતા અને મોટી તેમજ મુખ્ય જે રોજની છે. તે સમસ્યાઓ પહેલા દૂર કરજો અને આ સેવાની તક ચુકતા નહી…..નહી તો કદાચ પછી તક ન પણ મળે…….” વગેરે પ્રકારના અનેક મંતવ્યો નાગરીકોના મળ્યા છે અને અમુક નાગરીકોએ તો ચીમકી પણ આપી કે જો પ્રજાતરફી ન રહ્યા તો અમને યાદ કરાવતા આવડે છે….!!! ટુંકમા લોકો આ વખતે નવી ટર્મની શરૂઆતથી જ લોકો લેખા જોખા કરવાના મુડમાં છે,
બીજી આવી જ મહત્વની વાત……ભાજપના કાર્યકર્તાના અભિવાદન સમારંભમાં જામનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ચુંટાયેલા કોર્પોરેટરોને ટકોર કરતા જણાવ્યું હતું કે આ જીત એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકરોની મહેનત કારણે મળેલી આ જીત છે તેમજ કમળના કારણે ચુંટાણા છોવ (અર્થ કરનારા એવો અર્થ કરે છે ઘણા બધા નહીતો ચુંટાય તેમ જ નહતા…!? વળી પાટીલ ગામે ગામ આ વાત ખાસ કરે છે) અને કાર્યકરોની અવગણના કરશો નહી. કાર્યકરોએ આપેલા વચનો પુરા કરવાનું કામ ચુંટાયેલા ભાજપના પ્રતિનિધિઓએ કરવાનું રહેશે પાટીલે એમ પણ કહ્યુ હતુ કે ખાસ કરીને જેવી રીતે સરકારના વિકાસના કામોમાં ગુજરાત મોડલ રાજય બન્યું છે તે જ રીતે ભારતીય જનતા પાર્ટીના દેશ કક્ષાના સંગઠ્ઠનમાં પણ પ્રદેશ ભાજપએ સંગઠ્ઠન માટેનું મોડલ બન્યું છે,
ત્યારે પોતાની આગવી શૈલીમાં ટકોર કરતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપનાચુંટાયેલા પ્રતિનિધિઓ આ જીત ને પોતાની જીત ન માને આ કમળના કારણે એટલે કે પક્ષના કારણે જીત મળી છે (આ સાંભળતી વખતે ચુંટાયેલાઓમાં થી મોટા ભાગનાના મોઢા જોવા જેવા હતા) અને માટે જ કોઇ ચુંટાયેલા કોર્પોરેટર કાર્યકરનું અપમાન કરશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. સાથે-સાથે વાણી વર્તન અને વ્યવહાર કાર્યકરો સાથે સારો રાખે જો કોઈ ચુંટાયેલા પ્રતિનિધિ ખરાબ વર્તન કરશે અને ફરિયાદ મળશે તો તેની સામે પ્રદેશ ભાજપ તરફથી કાર્યવાહી પણ કરાશે તેમજ પ્રજાને આપેલા વચન પણ પુરા કરવા ઉપર પાટીલે ભાર મુક્યો હતો, એકંદર પ્રદેશ પ્રમુખની શીખામણ લોકોની અપેક્ષા અને અભિપ્રાય મુજબ શરૂઆત થી જ ચુંટાયેલાઓ એ કામ કરવુ ફરજીયાત બની ગયુ છે.