Mysamachar.in:જામનગર-દેવભૂમિ દ્વારકા
જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની જહેમતથી રાજય સરકારએ જામનગર સંસદીયક્ષેત્રના જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં 114 કરોડના રસ્તાઓ અને નાળા-પુલીયાના કામો મંજુર કરી જોબનંબર ફાળવ્યા છે. જે અંગે સાંસદ પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
જામનગર અને દ્વારકા જિલ્લાઓ માટે કેન્દ્ર સરકાર અને રાજયસરકારમાં સતત રજુઆત કરી અનેક વિકાસકાર્યો સાંસદ પૂનમબેનએ મંજુર કરાવ્યા છે જેથી જન-જનની સુવિધાઓ અને છેવાડાના માનવી સુધી વિકાસ અંગેની કટીબધ્ધતા અવિરત સાર્થક કરી રહયા છે જેનો લાભ બહોળા જનસમુદાયને મળતા સંસ્થાઓ, ગ્રામજનો, આગેવાનો, પ્રજાપ્રતિનિધીઓ સૌ સાંસદ પૂનમબેનનો આભાર વ્યક્ત કરતા રહયા છે ખાસ કરીને શહેરી વિસ્તારની જેમ જ સમાંતર રીતે ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ક્ષેત્રમાં જરૂરી પ્રાથમિક સુવિધાના વિકાસ કામોને સતત પ્રાધાન્ય આપવામાં આવી રહયુ છે.
આ મંજુર થયેલ કામોમાં જામનગર તાલુકાના મોટી ભલસાણ સુમરી રોડ 3.50 કરોડ, જોડીયા તાલુકામાં બારાડી બેરાજા રોડ 4 કરોડ, જામજોધપુર તાલુકામાં ડુબાણમાં જતા કોઝવેના સ્થાને પુલ બનાવવાના 2.35 કરોડના 6 કામો, ભાણવડ તાલુકામાં 86.70 કરોડના ખર્ચના પાકા રસ્તાના જોડાણથી વંચીત જુદા જુદા નેસ વિસ્તારના 18 કામો, ખંભાળીયા તાલુકામાં 11.60 કરોડના ખર્ચના પાકા રસ્તાના જોડાણથી વંચીત ૫૨ાઓના 11કામો અને કલ્યાણપુર તાલુકામાં 2 કરોડના ખર્ચના કોઝવેના સ્થાને પુલ બનાવવાના 2 કામો મળી કુલ-114.05 કરોડના ખર્ચના બન્ને જીલ્લામાં રોડ રસ્તા અને નાળા પુલીયાના 39 વિકાસ કામોનો સમાવેશ થાય છે.
આ કામો અંગે પક્ષના કાર્યકર્તાઓ, પ્રજાજનો, આગેવાનો, સૌની સમયાંતરે મળેલ રજુઆતો લક્ષમાં લઈ સાંસદ પૂનમબેન માડમએ સરકારમાં ભારપૂર્વક રજુઆત કરતા સરકારએ આ વધુ વિકાસ કામો મંજુર કરી જોબ નંબર ફાળવતા બહોળી સંખ્યામાં ગ્રામજનો માટે વિશેષ સુવિધાઓ મળતા પરિવહન અને આવન-જાવન માટે ખૂબ જ સાનુકુળતાઓ થશે.