Mysamachar.in-જામનગર
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહાનગરોના નવા દ્રષ્ટીકોણ અમલમા મુક્યા છે, તેમા પર્યાવરણ જાળવણી મુખ્ય છે ત્યારે જામનગરમા પોલ્યુશન ફ્રી સીટી પરિવહન માટેની કોર્પોરેશન ના પ્રોજેક્ટ પ્લાનીંગ વિભાગની જહેમત આજથી સાકાર થતા નગર પરિવહન માટે નગરજનોને દસ સીટી બસોની સુવિધા મળતી શરૂ થતા શહેરીજનોમા અનોખો રોમાંચ જોવા મળે છે, આજે 3 CNG બસોને કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સ્ટે.ચેરમેન સુભાષ જોશી, શાશક જૂથ નેતા દિવ્યેશ અકબરીના હસ્તે લીલીઝંડી આપવામાં આવી, આજે ત્રણ બાદ આવતીકાલથી અન્ય ત્રણ અને જે બાદ અન્ય ચાર એમ કુલ 10 CNG બસો શહેરમાં આંતરિક પરિવહન માટે દોડશે, જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્લાનીંગ વિભાગ દ્વારા મુખ્યમંત્રી અર્બન બસ પ્રોગ્રામ હેઠળ 10 CNG બસ નગરવાસીઓ માટે લોકાર્પણ થઇ છે,
આ બસ “પર્યાવરણ મિત્ર” અને નગરના મુસાફરો ખાસ કરીને વડીલો-બહેનો-બાળકો માટે નગર પરિવહનમાં ખૂબ ઉપયોગી બની રહેશે તેવી આશા સેવાઈ રહી છે, રાજ્ય સરકારએ કેન્દ્રસરકારની વખતોવખતની માર્ગદર્શિકા મુજબ પર્યાવરણ જતનને ખુબ મહત્વ આપવામા આવી રહ્યુ છે, જે માટે મુખ્યમંત્રીઅર્બન બસ પ્રોગ્રામ સમગ્ર રાજ્યના મોટા શહેરોમા અમલમાં મુકાઇ રહી છે, તે જ રીતે જામનગરમા આ જહેમત કોર્પોરેશનના પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ વિભાગની રહેવા પામી છે, જે આજથી સફળતાપુર્વક અમલમા આવતા નગરની શોભા વધી છે,
આ અંગે વિસ્તૃત વિગતો આપતા કાર્યપાલક ઇજનેર ભાવેશ જાનીએ “માયસમાચાર” સાથેની વાતચીતમાં જણાવ્યું કે જામનગર મહાનગરપાલિકા ધ્વારા હાલે જામનગર શહેરમાં 10 ડીઝલ ઓપરેટેડ બસ મહાનગરપાલિકાની માલિકીની ઓપરેશન, મેઈન્ટેનન્સ અને ડીઝલ ઉપરાંત મેન પાવર સહીત આઉટ સોર્સિગથી કામ સી.એમ. જાડેજા એજન્સીને સોપવામાં આવેલ છે. જેમને આ 10 બસો જુદા-જુદા 8 રૂટો પર ચલાવવા દર મહિને મહાનગરપાલિકા ધ્વારા ખોટની સબસીડી પેટે રૂ.2,50,000/- ચુકવવામાં આવે છે. એટલે કે, વાર્ષિક રૂ. 30 લાખ ચુકવવામાં આવે છે,
હવેથી જામનગર મહાનગરપાલિકા ધ્વારા સી.એમ. અર્બન બસ પ્રોગ્રામ હેઠળ ઈ-ટેન્ડરીંગથી ટેન્ડરીંગ પ્રક્રિયા કરી ચોથા પ્રયત્ન ધ્વારા કોન્ટ્રાક્ટર સી. એમ. જાડેજાના પ્રતિ કી.મી. પ્રતિ બસ રૂ. 28.50 નેગોશીએશન બાદના ભાવો આવ્યા હતા માટે રાજય સરકાર ધ્વારા સી. એમ. અર્બન બસ પ્રોગ્રામ હેઠળ 10 મીની સી.એન.જી. બસ 30 સીટેડ કેપેસીટીની ચલાવવા પી.પી.પી.ના ધોરણે એટલે કે બસનું અંદાજીત રૂ. 2.60 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામા આવ્યુ છે,
પ્રોજેક્ટ પ્લાનિંગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાનીએ વધુમા ઉમેર્યુ કે રાજય સરકારની વી.જીએફ. (વાયબેલીટી ગેપ ફન્ડિંગ)ની સહાય રૂ. 12.50 પ્રતિ કી.મી. રાજય સરકાર ધ્વારા મંજુર કરવામાં આવેલ છે. બાકીની ઘટતી રકમ રૂ. 16- પ્રતિ કી.મી. મહાનગરપાલિકાના ભંડોળમાંથી ખર્ચ કરવાનો રહેશે. જામનગર શહેરમાં 132 સ્કેવર કી.મી. એરિયાને ધ્યાને લેતા અંદાજે 40 જેટલી બસોની જરૂરિયાત રહેવા પામે છે. જામનગર મહાનગરપાલિકા ધ્વારા પ્રથમ તબક્કામાં 10 ડીઝલ ઓપરેટેડ બસો ખરીદ કરવામાં આવેલ જેનું ઓપરેશન મેઈન્ટેનન્સ, સ્ટાફ તથા સહિત ઈ-ટેન્ડર પધ્ધતિ ધ્વારા કોન્ટ્રકટર સી.એમ.જાડેજાને 5 વર્ષ માટે સોપવામાં આવેલ છે. જે પૈકી 4 વર્ષનો સમયગાળો પાર્ટી ધ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવે છે.
હાલ જામનગર મહાનગરપાલિકા પાસે 10 ડીઝલ ઓપરેટેડ તથા બીજા તબક્કામાં 10 સી.એન.જી. બસો પી.પી.પી.ના ધોરણે કોન્ટ્રકટર ધ્વારા ખરીદ કરીને મહાનગરપાલિકા ધ્વારા જરૂરિયાત મુજબના રૂટો ઉપર કે જે રૂટ પર પુરતો ટ્રાફિક મળી રહે તેવા રૂટો ચલાવવામાં આવશે તેમ પણ ઉમેર્યુ છે, એક તરફ મુખ્યમંત્રીના અનુરોધ રાજ્યસરકારની સહાય અને કોર્પોરેશનના પ્રોજેક્ટ પ્લાનીગ વિભાગની જહેમત ત્રણેય પાસા મળી નગરમા પર્યાવરણ જાળવણીની દિશામા આગેકદમ આગળ ધપ્યુ છે.