Mysamachar.in-જામનગર
આર્થિક સંકડામણમાં આવેલ વ્યક્તિ પાસે જયારે કોઈ રસ્તો ના રહે ત્યારે તે મોતને વહાલું કરી લે છે, જામનગર જીલ્લાના લાલપુરમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં ધંધામાં આવેલ મોટી ખોટને કારણે વેપારીએ ધંધામાં ગયેલ કરોડો રૂપિયાની ખોટને લઈને ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધાની દુખદ ઘટના સામે આવી છે, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર વસવાટ કરતા વેપારી મનસુખભાઈ લખમણભાઈ નારિયા કોઈને કહ્યા વિના જ ઘરેથી નીકળી ગયેલ હતા,
જે બાદ તેણે લાલપુરના પીપરટોળા ગામ નજીક ઝેરી દવા પી જિંદગી ટુકાવી હોવાની આ બનાવ અંગે મૃતકના ભાઈ છગનભાઈ લખમણભાઈ નારીયાએ જાણ કરતા લાલપુર પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી નિવેદનો નોંધ્યા હતા. જેમાં મૃતક સાધવી એંટરપ્રાઈસ લોખડ તથા સીમેંટ ની દુકાન ખોલી ધધો કરતા હતા. પરંતુ આ ધંધામાં આશરે સાડા ચાર કરોડની નુકસાની ગઈ હતી. જેના કારણે કયાક કીધા વગર ઘરેથી નીકળી ગયા હતા. ધંધામાં મોટી ખોટ આવતા નાશીપાસ થયેલ વેપારીને આઘાત લાગતા તેઓએ પોતાના હાથે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.