Mysamchar.in-જામનગર
પવનચક્કી કંપનીએ નેશનલ હાઇવે અને તેના એપ્રોચ રોડ બગાડ્યા છતા પીડબલ્યુડીના વામણા અધીકારીઓ નુકસાની માટેની વસુલાતમા વામણા પુરવાર થયા છે એવુ ચિત્ર ઉપસ્યુ છે જો કે કંપની ની તરફેણ કરવા મોટુ મન રાખ્યુ હશે એમ પણ જાણકારો શંકા સાથે કહે છે, જામનગર જિલ્લામાં ભાદરા ચોકડીથી આમરણ નેશનલ હાઇવે છે તેમાં એનર્જી પ્રા લી નામની પવનચક્કી કંપનીએ આ હાઇવેના એપ્રોચ રોડ બગાડે છે, હેવી વાહનોથી હજુય બગાડવાનુ ચાલુ જ છે અને રૂપીયા એક કરોડ જેટલું નુકસાન કર્યુ છે છતા પીડબલ્યુડી કાર્યવાહી કરવા લાજ કાઢે છે, ત્યારે આ પંથકમા ગણગણાટ છે કે અંદર થી સેટીંગ છે?કે શુ?? આ વસુલાતની બાબત જિલ્લા કક્ષાની મીટીંગમા ઉઠ્યો છતાય ઉકેલ આવ્યો નથી એક તો વસુલાત નથી થતી અને ઉપરથી રોડ બગડતા બીજા વાહન ચાલકો હેરાન થાય છે.