Mysamachar.in-જામનગર
ખેડૂતો ખાતર ખરીદે તો કૃત્રિમઅછતની તંત્રને ભીતી આ કેવુ?? આ બાબતે પાણી પહેલા રાજકીય ઇશારેપાળ બાંધતુ તંત્ર રાજકીય ઇશારે યાદિ આપી નાચ કરે ને ખેડુતો પીસાયને વળી કહે કે પગલાલેશુ પણ કોઇ દિલીધા છે.? સૌ જાણે છે…ખાતરમા ખેડૂત સમય શક્તિ પૈસા ખોય છે ઇ તો જુઓ…વહાલાનેતાઓ…જગતનો તાત હડ દોલા ખાય કોઇ છેતરી જાય કૃષિપ્રધાન રાષ્ટ્રમા ખેડુત આ દશામા છે, વળી બિયારણકોક ધાબડી જાય અને તંત્ર પાસે ખેડૂતો માટે વીજીલન્સ નથી ખેતી શાકભાજી ફળ ફળાદીઔષધવન વગેરે અનેક ઉપજ 35 ટકાથી વધુ હિસ્સો ઉત્પાદનનો અને અર્થ તંત્રનો છે,
તોય સરકાર ધ્યાન ન આપે જેવીતેવી ચપટીક મદદની યોજના મોટા નામથી પ્રચાર કરે આરંભે શુરા પછી યોજના ધુળ ખાયનેખેડુતો ભીંસાય….વગેરે વગેરે ઉદગારો છે અનુભવિ ખેડૂતોના કૃષી નિષ્ણાંતોના જાણકારોનાતેમજ પીડા ભોગવનારાઓના હવે આ પીડા વેદના તો છે જવર્ષોથી પરંતુ તે ઉદગાર અહી માધ્યમ સુધી ફરી એક વખત શુ કામ પહોંચ્યા?? તેનુ મુળ છે સરકારી યાદીજેમા ખાતરની કૃત્રિમ અછતની ભિતી તંત્રએ સેવી છે માટે આ ઉદગારની વેદના ફરીપ્રદર્શીત થઇ છે.
-હવે સરકારી યાદી as it isજોઇએ…
જામનગર જિલ્લાના ખેડૂતો તથારાસાયણિક ખાતરના વિક્રેતાઓ જોગ…….જામનગર જિલ્લાના તમામખેડૂતોને નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) જામનગર દ્વારા જણાવાયું છે કે આગામી ખરીફ-2021ઋતુ માટે ખાતરની ખરીદીની સિઝન શરૂ થવામાં હોઈ તો ખેડૂત ભાઈઓએ ખાતર ખરીદી વખતે નીચે મુજબની કાળજી રાખવીજરૂરી છે.
જામનગર જિલ્લાના તમામતાલુકામાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ-અલગ કંપની દ્વારા પુરૂં પાડવામાં આવેછે. તો ખરીફ-2021 ઋતુમાં… વરસાદ થયે એકી સાથે ખાતરની માંગ ઉપસ્થિત થાય ત્યારેકૃત્રિમ અછત ઉભી ન થાય તે માટે જિલ્લાના તમામ ખેડૂતોને ખરીફ-2021ની સિઝન માટે પાકનીજરૂરિયાત તેમજ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો જથ્થો લઇ રાખવા તેમજખાતરની ખરીદી સરકાર માન્ય ખાતરના પરવાનેદાર વિક્રેતા પાસેથી પાકા બીલ તથા પી.ઓ.એસ.મશીન મારફત જ કરવી તેમજ અન-અધિકૃત વ્યક્તિ (ફેરીયા) પાસેથી ખાતરની ખરીદી ન કરવાજણાવવામાં આવે છે……. (સરકાર કઇ નહી કરે એવો અર્થ થાય ખેડૂતો ને સુચના આપીદીધી…. એટલે પુરૂ??) હજુ આગળ આ યાદી જોઇએ તો….. વિશેષમાં જિલ્લાના રાસાયણિક ખાતરના વિક્રેતાઓનેજણાવવાનું કે ખાતરનું વિતરણ સરકારશ્રી દ્વારા નિયત થયેલા ભાવે પી.ઓ.એસ. મશીનથી જખેડૂતોને સપ્રમાણ વિતરણ કરવું અન્યથા જરૂરી કાયદાકીય પગલાં લેવામાં આવશે. (ક્યારેયપગલા લીધા છે?? આ યાદીમા ખેડૂત પડખે તંત્ર ઉભુ છે તેવો સારાશ દેખાય છે?? હાથ ખંખેખરવાની વાત છે તો યખેતી જેવી મહત્વની બાબતે…..આ યાદી અને જમીની હકીકતનો જમીન આસમાનનો તફાવત જુઓ તોખરા સાહેબો…..)
હવે જોઇએ તો એક તરફ ખાતરના ભાવવધવાના છે સંગ્રહ થઇ ગયો છે.? હમણા વરસાદ આવશે અને ખેડૂતોને જરૂર પડશે તો ખાતરબિયારણ દવા જરૂરી વસ્તુ સહેલાઇથી મળશે?? નહી મળે માટે ખાતર માથેદીવા જેવી યાદી આપી જવાબદારી પુરી કરી પરંતુ વ્યવસ્થા ફુલપ્રુફ છે?? ભાવ તોલ ચેક થાય છે?? ક્વોલીટી ટેસ્ટ કર્યા છે?? સંગ્રહખોરી પકડી છે?? ખેડૂતોને સહેલાઇથી કીફાયતભાવથી દવા ખાતર મળશે?? વગેરે કોઇ ખાતરી જેવુ આ યાદીમા નથી માત્ર ખાતરની અછતનો ભય બતાવી દીધો મતલબ કે ખેલમોટા પડવાના જ છે અને ખેડુતોની મુશ્કેલી જેમની તેમ રહેશે કે શુ?? વગેરે બાબતોનુ જાણકારો ભાવિભાખે છે કેમકે દર વર્ષે મુશ્કેલી પડે જ છે.