Mysamachar.in-જામનગર
જામનગર સહિત 6 કોર્પોરેશન અને 33 જિલ્લા પંચાયતોની પાંચ વર્ષની ટર્મની મુદત પુરી થાય છે, અને તે પ્રમાણે અત્યારે તો ચુંટણીની તૈયારી થઇ જવી જોઇએ પરંતુ હાલ કોરોનાકાળમા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની પ્રક્રિયા ખાસ કરીને પ્રચાર તેમજ મતદાન વગેરે માટે પડકારજનક સ્થિતિ થાય માટે હાલ તો રાજ્યમા ચુંટણીઓ પાછી ઠેલાઇ છે, દરમ્યાન એ પણ વિચારવા જેવુ છે કે રાજ્યના એક ધારાસભ્યએ કોમેન્ટ કરેલી કે કોરોના બે પ્રકારના હોય જે વિધાનસભાની પેટાચુંટણીમાં ન નડે અને કોર્પોરેશન તેમજ પંચાયત વગેરે સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમા નડે….!!
જો કે આ કોમેન્ટ બાદ એવી ટીપ્પણી પણ વહેતી થયેલી કે રાજ્યનો શાસક પક્ષ સ્થાનીક સ્વરાજ્યમા પ્રજા સપોર્ટ મળશે કે નહી તેની ચિંતામા હોવાથી ચુંટણી પાછી ઠેલાણી છે, અને શાસક પક્ષ તરફી વાતાવરણ બને તે માટે મહેનત થાય પછી ચુંટણી યોજવા વિચારે ત્યા સુધી કોરોનાનુ બહાનુ કાઢવાનુ રહે તે સ્વાભાવિક છે, તેમ ટીપ્પણીમા ઉમેરાયુ છે,
આ તો થઇ જનરલ વાત પરંતુ જામનગર કોર્પોરેશનની વાત કરીએ તો પદાધીકારીઓને આશા છે કે બોર્ડની મુદત વધશે પરંતુ કાયદાકીય રીતે એવા સંજોગો જ નથી કે જોગવાઇ નથી માટે એક રીતે જામનગર કોર્પોરેશનની બોર્ડની મુદત આ રીતે તો વધી શકે એમ નથી માટે અહી વહીવટદારની નિમણુંક થશે તે સ્થિતિ હાલની ગણી શકાય છે તેમ કાયદાકીય નિષ્ણાંતોનો અભિપ્રાય છે, વર્ષ 2015 માં જ્યારે કોર્પોરેશનની સામાન્ય ચુંટણી યોજાઇ ત્યારે પહેલુ બોર્ડ મળ્યુ હતુ જેમા મેયરની પસંદગી થઇ તે 14 ડીસેમ્બરના બોર્ડની મીટીંગ યોજાઇ હતી
માટે નિયમ મુજબ 13 ડીસેમ્બર 2020 ના પાંચ વર્ષની મુદત પુરી થાય છે માટે દેખીતુ છે કે વહીવટદારની નિમણુંક સરકારે કરવી પડે અગાઉ વીસ વર્ષ પહેલા પણ જામનગર કોર્પોરેશનમા વહીવટદાર તરીકે સચીવ એસ.કે.નંદાની નિયુક્તિ સરકારે કરી હતી તેવીજ રીતે હવે આગામી 13 ડીસેમ્બરના દિવસ બાદ તુરંત જ વહીવટદારની નિમણુંક થઇ શકે છે તેમ કાયદાકીય નિષ્ણાંતોનો અભિપ્રાય છે,
બીજી તરફ અંતરંગ સુત્રો જણાવે છે હાલ તો રાજ્યસરકાર એવા લીગલ ઓપીનિયન લેવા માટે તેમજ કોઇ જરૂરી વટહુકમ કે કોઇ બીજી પ્રક્રિયા કોર્પોરેશન – પંચાયતની મુદત વધારવા થઇ શકે કે કેમ તે વિચારણા હેઠળ છે,mપરંતુ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને લગત કાયદામુજબ બોર્ડની મુદત વધારી શકાય તેવી કોઇ સીધી જોગવાઇઓ નથી માટે જ સરકાર કક્ષાએથી જુદી-જુદી જોગવાઇઓની તપાસ થઇ રહી છે, જુદા-જુદા પાસા વિચારાઇ રહ્યા છે કે ગમે તેમ કરી બોર્ડની મુદત વધારી શકાય તેમ છે કે નહી?
આ ઉપરાંત માનો કે ગમે તેમ કરી બોર્ડની મુદત વધારવાનો કોઇ રસ્તો શોધી શકાય તો પ્રશ્ર્ન એ છે 6mમહાનગરપાલીકાઓમા તો શાસક પક્ષની સતા છે પરંતુ 33 જિલ્લા પંચાયતોમા મોટા ભાગે શાસકપક્ષનુ શાસન નથી માટે મનપા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો નગરપાલીકાઓ જ્યા ચુંટણી ડ્યુ છે તે તમામના બોર્ડની મુદત એક સાથે જ જો વધી શકવાની શક્યતા શોધી શકાય તો વધારવી પડે જેનાથી શાસકપક્ષને ખાસ કંઇ લાભ નથી, માટે તે દ્રષ્ટીથી બોર્ડ મુદત વધારવા મારી મચડીને પણ કોઇ જોગવાઇ શોધી કાઢવી ગુજરાતની શાસક પાર્ટી માટે ખાસ કઇ ફાયદાકારક તો ન જ રહે તેવો એક રાજકીય અભિપ્રાય છે,
હાલ રાજ્ય સરકારનુ ધ્યાન આઠ વિધાનસભાની પેટાચુંટણી પર છે તે પ્રતિષ્ઠાનો જંગ છે, જેમા આંતરીક જુથવાદ હાલની મંદી બેરોજગારી ખેડૂતોના પ્રશ્ર્નો પક્ષના આંતરિક અસંતોષ એક બાજુ આયાત નહી કરાય તેવા જવાબદારના નિવેદનો વચ્ચે રોજ જુદા-જુદા વિસ્તારમા થઇ રહેલા આયાતથી પક્ષમા અસંતોષ વચ્ચે સંગઠનની રૂડી-રૂડી વાતો સરકાર તરફથી લોકાર્પણ યોજના સુવિધા પેકેજના થીંગડા દેવાના પ્રયાસ વચ્ચે પણ સો ટકા સફળ નહી થવાય તે ચિંતા શાસકપક્ષ ને હોય તે સ્વાભાવિક છે, માટે હાલ મતદાન 3 નવેમ્બરના છે, અને ત્યારબાદ રીઝલ્ટ આવશે બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નુ શુ કરવુ એ સંગઠન અને સરકાર વિચારશે તેવુ તારણ સમીક્ષકોનુ છે,
આમેય પદાધીકારીઓએ એવી આશા મુકી દેવી જોઇએ કે બોર્ડની મુદત વધે…..કેમકે પાંચ વર્ષમા જે કરી શક્યા તે કરી શક્યા ન કરી શક્યા તે ન કરી શક્યા ….તો વધુ એક બે મહિના મળે તો ય શુ ન મળે તો ય શું? પણ ના સતાના વધુ દિવસો મળે તે તો બોનસ કહેવાય ને ?? બોનસ તો સૌ ને ગમે માટે આશા અમર છે ને? એ સ્થિતિ જામનગર મનપાના પદાધીકારીઓની હાલ તો છે પરંતુ અધીકૃતકક્ષાએ અને ઉચ્ચ અધીકારી કક્ષાએ તેમજ જોગવાઇઓ જે હાલની છે તે મુજબ બોર્ડની મુદત વધી શકે તેમ ન હોઇ વહીવટદાર જ નિમાશે તેમ ચોખ્ખો અભિપ્રાય છે જોકે પછી જામનગર મનપાના પદાધીકારીઓનો 13 ડીસેમ્બર પછી સતા મુદત પુરી થતા ગજ નહી વાગે તે સ્વાભાવિક બાબત છે તે જ વાસ્તવિકતા છે.
એક બાબત સાચી પણ છે કોરોનાકાળમા સમગ્ર રાજ્યમા દરેક મહાનગરો તેમજ પંચાયત માટે દરેક ગામમા ચુંટણી માહોલ બનાવવો યોગ્ય ન જ ગણાય માટે ચુંટણી પાછી ઠેલવાનો નિર્ણય ચુંટણીપંચનો વ્યાજબી ગણાય જોકે સમીક્ષકોના મતે હાલ રાજ્યભરમા દરેક વર્ગ અને દરેક વિસ્તારમા નાના મોટા અસંતોષ રાજ્યના શાસક પક્ષ તરફ છે અને સ્થાનીક સ્વરાજ્યમા તો સ્થાનિક પ્રશ્ર્નોથી પ્રજા ત્રસ્ત છે, સાથે રાજ્યસરકાર સ્તરીય પ્રશ્ર્નોથી પણ પ્રજામા કયાંક અસંતોષ છે, માટે ગત વખતે શહેરી વિસ્તારમા ફાયદો ગ્રામ્યમા નુકસાન શાસક પક્ષ ને થયુ તે રીતે આ વખતે પણ ગામડાઓમા મોટાભાગે વિરોધ છે જ નગરો મહાનગરોમા પણ વિરોધ વધુ છે માટે ચુંટણી પાછી ઠેલાઇ છે તેમ પણ સમીક્ષકોએ આ અભિપ્રાયમા ઉમેર્યુ છે,
ત્યારે શું જાન્યુઆરી બાદ વાતાવરણ બદલી જશે?? કદાચ કોઇપણ સંજોગોમા કાયદાકીય આટીઘુટી ગોતી બોર્ડ મુદત વધારાય તો ય નગર મહાનગરોમા કઇ જાદુઇ છડી ફરી શકે તેમ નથી માટે મુદત ન વધે તે શાણપણ જ ગણાશે બાકી રહયા પ્રજાના કામ તે તો લગત વિભાગો કરે જ છે પ્રજાની સેવાઓ જળવાય છે, જેમ તેમ તે તો જળવાયેલી જ રહેશે ઉલટુ વહીવટીપાંખને માથે ચુંટાયેલી બોડી ન રહે તો રાહત રહે કેમકે કદાચ મુદત બાદ પણ કોઇ પુર્વ પ્રતિનિધીકે પુર્વ પદાધીકારી કઇ સુચન કે સુચના આપે તો વહીવટીપાંખ ધારે તો જ માને બાકી ત્યારે બંધાયેલ ન હોઇ શક્ય છે કે કદાચ સારૂ કામ પણ થઇ શકે તેવી આશા પણ મનપાનો એક વર્ગ ધરાવે છે,
સમીક્ષાના સારાંશ એ નીકળે છે કે એક તો બોર્ડ મુદત વધે તેમ નથી બીજુ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ હાલ કે ત્રણ મહિના પછી કે પાંચ મહિના પછીય શાસક માટે પડકાર જ રહેશે કેમકે મોટાભાગે સેવકોમાથી પચાસ ટકા તો પ્રજાને માટે વ્યક્તિગત રીતે ક્યારેક બે પાંચ પત્રો લખ્યા સિવાય શુ કર્યુ તેનો જવાબ આપી શકે તેમ નથી ( સમગ્ર રાજ્યમા નપા મનપા બધે જ મોટેભાગે આવુ હોવાનુ જાણવા મળે છે) હા અમુક બહેનો નગરસેવક જુજ ભાઇઓ નગરસેવક શાસક વિપક્ષ બંનેના એ પ્રજાના પ્રશ્ર્ન ઉકેલ્યા છે, પરંતુ જેમની વિશેષ જવાબદારી છે તે પુરેપુરી પ્રજા પ્રત્યે નિભાવી ન શક્યા હોય તેવુ જાગૃત નાગરીકોનુ તારણ છે, છતાય બોર્ડ મુદત વધવાની આશા ક્યા હેતુસર કરવા રાખે છે તે વિચારવા જેવુ ખરૂ તેમ પણ એક ટીકાત્મક અભિપ્રાય છે.
હાલ તો મુદત પુરી થયે વહીવટદાર નિમાશે તે દિશામા પ્રબળ સ્થિતિ છે અને ચુંટણી માટે ક્યો સમય નક્કી થાય છે તે કહેવુ વહેલુ છે તેમ છતા સરકાર કોઇ રસ્તો કાઢે મુદત વધારાનો તો પણ તેમા કંઇ ફાયદો શાસક પક્ષને નથી કે અનેક રીતે ઘેરાયેલી પ્રજાની લાગણી તેમના તરફી કરી શકે તેવી શક્યતા નથી હા પ્રજા ઓછા નબળાની પસંદગીના ગણિતમા જનમત આપવામા કોઇ ને બહુમતી આપી બેસે છે તે સ્થાનિકથી રાજ્યકક્ષા સુધીની સ્થિતિ બનતી હોય છે, ત્યારે હવે આ અવઢવથી ચિતિંત સ્થિતિ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યો માટે શુ નિર્ણય લેવો છે, તે વિધાનસભાની પેટા ચુંટણીના પરિણામ બાદ જ સરકાર વિચારે તે સ્વાભાવિક છે.