Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતમાં દિવાળીએ ફટાકડા ફૂટશે કે કેમ..? આજે પત્રકારોની સાથે વાતચીત દરમિયાન આ સવાલ ના જવાબમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપતા કહ્યું કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આજે સુનાવણી કરવામાં આવી રહી છે, અને ગુજરાત પાસે પણ માહિતી માંગી છે, અને જુદા જુદા વિભાગો સાથે આ મામલે ચર્ચાઓ ચાલી રહી છે, જો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ આ મામલે કોઈ સૂચન ના કરે તો રાજ્ય સરકાર પોતે સ્વયંભુ યોગ્ય નિર્ણય સમયસર કરવામાં આવશે તેમ કહ્યું,
તો તેવો એ વધુમાં કહ્યું કે કેટલાક લોકો દિલ્હીનું ઉદાહરણ આપે છે પણ દિલ્હીમાં ધુમાડો ફેલાય છે. રાજ્ય સરકારે ફટાકડા સંદર્ભે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. ગુજરાતમાં પ્રદૂષણ દિલ્હીની જેમ થવાની કોઈ શક્યતા નથી….અને પ્રદુષણના મામલે ગુજરાત સાથે દિલ્હીની સરખામણી કરવી એ જરૂરી નથી. ગુજરાત ખૂબ સારી સ્થિતિમાં છે. ગુજરાત જાળવણી પણ કરે છે. ફટાકડા સંદર્ભે સરકાર તમામ બાબતોનું ધ્યાન રાખીને નિર્ણય કરવામાં આવશે તેમ તેવોએ વાતચીતના અંતે કહ્યું.