Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
તાજેતરમાં જ જામનગરમાં હત્યાના બે બનાવો સામે આવ્યા છે, જેમાં એકમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું તો બીજા બનાવમાં જામનગર શહેરમા પુત્રવધુએ સાસુને મોતને ઘાટ ઉતારી દીધા…આ બને બનાવો હજુ તો નજર સમક્ષ છે ત્યાં જ આજે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દેતા હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે,વાત એવી છે કે.. દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકામાં મીઠાપુર નજીક આવેલ હમુસર વાડી વિસ્તારમાં રહેતા મરણજનાર ટપુભા દેવાણંદભા હાથલ પત્ની રૂપીબેન સાથે વસવાટ કરતા હોય પરંતુ રૂપીબેન છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમાર રહેતા હોય તેવામાં ટપુભા સુતા હતા ત્યારે પત્ની રુપીબેને ખાંડણી ખાંડવાના લોખંડના દસ્તા વડે કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડતા તેનું મોત નીપજતા હત્યાનો ગુન્હો નોંધાયો છે. અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.