Mysamachar.in-અમદાવાદ:
જયારે પત્ની જ બેવફા નીકળે તો…સબંધોને શર્મશાર કરતો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે જ્યાં પતિની પત્ની અને તેના પ્રેમીએ મળી હત્યા નિપજાવ્યાના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે, એલીસબ્રીજ વિકટોરીયા ગાર્ડન સામે 18 જુલાઇના રોજ અજાણ્યા યુવકની લાશ મળી આવવાના કેસમાં લાશ જીગનેશ ઉર્ફે જગદીશની હોવાની ઓળખ થઇ. જે બાદ ક્રાઇમ બ્રાંચે મૃતક જીગ્નેશ હત્યા કેસમાં ભેદ ઉકેલી મૃતકની પત્ની રેખા ઉર્ફે જાડી સોલંકી તેના પ્રેમી શાબીરખાન પઠાણ અને શીવમ ઠક્કરની ધરપકડ કરી છે.
હત્યા કરવા પાછળનુ કારણમાં આડાસંબંધમાં હત્યા થઇ હોવાનુ સામે આવ્યુ છે. આરોપી પત્ની રેખા સોલંકી અને પ્રેમી શાબીરખાન વચ્ચેના આંડા સંબંઘમાં પતિ જીગ્નેશ આડખીલી રૂપ બનતો હોવાથી તેનુ કાસળ કાઢી હત્યા કરી દીધી. હત્યા કરવા માટે આરોપી રેખા અને પ્રેમી શાબીરખાન સહિત ચાર લોકોએ મૃતક જીગ્નેશને દારૂનો નશો કરાવીને એલ્રિજબ્રિજ નજીક પડેલ રીક્ષામાં લઇ ગયા અને જ્યાં સુતળી વડે ગળુ દબાવીને મોતને ધાટ ઉતારી દીધો હતો.
ક્રાઇમ બ્રાચે તપાસ કરતા આરોપી શાબીર તેના ખેડામાં રહેતા ભાઇને ત્યાં આવતો જતો હોવાથી તેને રેખા સાથે પ્રેમ થયો હતો. રેખા તેના અગાઉના પતિના બાળકો સાથે સુરત,અમદાવાદ અને ખેડા આવતી જતી હતી. જયારે અમદાવાદમાં આવતી જતી રહેતી હતી. તે બાદ બન્ને વચ્ચે સંબંધ બધાયા હતા.આ દરમિયાન 17 મી તારીખે રેખાએ શાબીરને તેનો પતિ જીગ્નેશ કોઇ કામ ધંધો કરતો નથી અને મારા પૈસા વાપરી નાંખતો હોવાથી તેને મારી નાખવા કહ્યુ હતુ.આથી ચાર આરોપીઓએ જીગ્નેશની હત્યા કરવા દારૂ પીવડાવીને પ્લાસ્ટીકની પટ્ટીથી ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી.આંડા સંબંધમાં થયેલી હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાચે ત્રણ આરોપી ઝડપી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન સોપ્યા છે,