Mysamachar.in-જામનગર
જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓનું વોટ્સઅપ ગ્રુપ છેલ્લા કેટલાક દિવસોથી ભારે આંતરિક ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે, એક અધિકારીના વાણી વર્તનથી ચાલી રહેલ ઘમાસાણમાં મનપાના મહત્વના પ્રોજેક્ટ પર કોઇને નડ્યા વગર એકાગ્રતા અને ખંતથી કામ કરનાર અને કેટલાય મહત્વના પ્રોજેક્ટમાં ચાવીરૂપ ભૂમિકા જેમની છે તેવા પ્રોજેક્ટ અને પ્લાનિંગ શાખાના નાયબ ઈજનેર ભાવેશ જાનીને હાલ કોઇ અકળ કારણસર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેમ લાગે છે, તેમને માનસિક ત્રાસ ગુજારી અને તે માનસિક અયોગ્ય હોવાનો ડોળ ઉભો કરી અને તેને સાઈડલાઈન કરી અને કેટલાક નવા વામન જેવા ચબરાકો આ નિષ્ઠાવાન અધીકારીની જગ્યાએ બીજા એક જે એક જ જગ્યાએ 18 વર્ષ જેટલા સમયગાળાથી ચીપકી પડેલા છે અનેરાજ્ય સરકાર સુધી જઇ લીલા તોરણે એક પ્રકરણમાં પાછા આવેલા છે તે અધિકારીને બેસાડવા માટેનો આ ખેલ શરુ થયાનું જાણવા મળે છે.
ખરેખર તો શહેરની શાન સમા કહી શકાય તેવા રણમલ લેક બ્યુટીફીકેશન, એમ્યુઝમેન્ટ પાર્ક જામ રણજીતસિંહજી પાર્ક, શહેરના મુખ્ય કેપિટલ રસ્તાઓ આસ્ફાલ્ટ રોડ તથા અન્ડર બ્રીજ ઓવરબ્રિજના તેમજ શહેરના અનેક ડેવલોપમેન્ટ વર્ક માટે એન્જિનિયર ભાવેશ જાનીએ લોહી રેડીને કામ કર્યું છે અને કોઈ અયોગ્ય કામગીરી કરે તો તેની ટીકા કરવી પડે પણ જો કોઈ અધિકારી કર્મચારી સારી અને સાચી કામગીરી કરતુ હોય તો બિરદાવવા પણ પડે જ, આ જ અધિકારી જેને માનસિક અયોગ્ય ચિતરવામાં આવી રહ્યા છે
તેઓએ ભવિષ્યમાં થનાર સુભાષબ્રીજ થી સાત રસ્તા સુધીના ફ્લાયઓવર બ્રીજ માટે બે ઓવર બ્રીજ તથા એક અન્ડર બ્રીજ તેનું કન્સેપ્ચ્યુલ પ્લાનિંગ તૈયાર કરાવી રાજ્ય સરકારમાં વિધીવત અને કૌશલ્યપુર્વકની દરખાસ્ત મોકલી છે. આવી રીતે ખંતથી કામ કરતા વ્યક્તિને માનસિક રીતે પાડી ભાંગવા માટે એક જ જગ્યાએ 18 વર્ષથી ચીપકીને બેઠેલા એક અધિકારીની ગોઠવણ કરાવવા અને ભાવેશ જાનીને માનસિક અયોગ્ય ગણાવવાના કારસા થાય છે,પરંતુ સાચું શું ખોટું શું તે શાશકો અને કમિશ્નર બન્ને એ સમજવું પડશે કારણ કે આ ખેલનો ક્યાંક ભાગ હોય શકે છે.?