Mysamachar.in-જામનગર
હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે કોરોના સામે રક્ષણ આપતી વેક્સીન આવી ગઈ છે, અને 1 મે થી 18 થી 45 વર્ષના યુવાઓને પણ રસી આપવાની શરુથી રહી છે. અને ખુબ મોટા પ્રમાણમાં જેને તક મળી છે તે યુવાઓ કોરોના વેક્સીન લે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જીજી હોસ્પિટલ બ્લડ બેન્કના વડા ડો.વાછાણીના જણાવ્યા પ્રમાણે “રક્તદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન” 1લી મે થી 18 થી 45 વર્ષના યુવાનો માટે કોરોના રસીકરણ ચાલુ થવા જઇ રહ્યું છે, ત્યારે તે પહેલા યુવાનોને રકતદાન કરવા માટે ખાસ અપીલ કરું છું.
શા માટે 1 મેં પૂર્વે રક્તદાનની અપીલ કરવામાં આવી રહી છે તે અંગે ડો.વાછાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેવોએ કહ્યું કે કોરોના રસી લીધા બાદ 28 દિવસ સુધી રકતદાન કરી શકાતું નથી. જેના પરિણામે આવનાર સમયમાં બ્લડ બેન્કમાં રકતની અછત ના સર્જાઈ અને રક્ત પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં રહે તે માટે વધુ લોકો રક્તદાન કરે તે જરૂરી છે.થેલેસેમિયા, હિમોફિલિયા, સિકલસેલ એનીમિયા જેવા રક્તની જરૂરિયાતવાળા રોગોના દર્દીઓને તથા પ્રસૂતિ અને રક્તની આકસ્મિક જરૂરિયાત સમયે રક્તની અછત ઊભી થઇ શકે છે. માટે વધુ ને વધુ લોકો રક્તદાન કરવા આગળ આવે તે ખુબ જરૂરી છે.
-જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સુરેશ વસરાની યુવાઓને હાંકલ તાલુકા મથકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાઓએ આવે આગળ
જામનગર જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સુરેશ વસરાએ પણ જીલ્લાના જુદા જુદા તાલુકા મથકોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને તેમાં વધુમાં વધુ લોકો અને ખાસ તો યુવાઓ રક્તદાન કરી અને મહામુલી જિંદગી બચાવવા આગળ આવે તેવી હાંકલ કરી છે.
-જામનગર જીલ્લા ભાજપ યુવા મોરચા ધ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા પહોચો આ સ્થળોએ..
-જામનગર તાલુકો તા.30/04/2021, શુક્રવાર સમય સાંજે 4 થી 8 વાગ્યા સુધી, સ્થળ : ચામુંડા પણ કેનાલના કાઠે ગામ નાધેડી
-જામજોધપુર શહેર/તાલુકો તા.24/04/2021, બુધવાર સમય સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ : ભાજપ કાર્યાલય આરામ ગૃહ સામે, જામજોધપુર
-જોડિયા તાલુકો તા 29/04/2021, ગુરુવાર સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી, સ્થળ : પટેલ સમાજની વાડી, લખતર
-ધ્રોલ શહેર /તાલુકો તા 30/04/2021, શુક્રવાર સમય સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ : પટેલ સમાજ ધ્રોલ
-કાલાવડ શહેર/તાલુકો તા.01/05/2021, શનિવાર સમય 9 થી બપોરે 12 વાગ્યા સુધી, સ્થળ : ટાઉન હોલ કાલાવડ