Mysamachar.in-જામનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નસમા પ્રોજેક્ટ એવા સૌની યોજનાની પ્રોજેક્ટકોસ્ટ કરોડોમાં છે, પણ આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઇ રહ્યા છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બન્નેની નજીકના હોય અને જેને જે જીલ્લામાં સાચવવા જેવા હોય તેવા ઠેકેદારોને કામ આપવામાં આવે છે, ભલે પછી ટેન્ડરમાં જોગવાઈ ના હોય તો પેટામાં કામ આપીને પણ સાચવી લેવાની નીતિરીતી અખત્યાર થઇ રહ્યાનું સુમાહિતગાર સુત્રો જણાવે છે, એવું નથી કે આ બાબત અધિકારીઓ અને થર્ડ પાર્ટીઓ નથી જાણતી બધું જાણે છે છતાં પણ ચલાવે છે કારણ કે તેમાં તેને પણ હુંફ મળી રહે છે,
રાજકીયપક્ષોના વગવાળા અને નેતાઓની નજીકના ઠેકેદારોને કામ આપવામાં આવ્યા બાદ કેવું કામ થાય તે સમજી શકાય તેવી વાત છે, અગાઉ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં કેટલીય જગ્યાઓએ અને ખાસ કરીને જામનગરના કાલાવડ અને જામનગર તાલુકાના વિસ્તારોમાં આ યોજનામાં ખેડૂતોને વળતર અને કામની ગુણવતાને લઈને પ્રશ્નો ઉઠતા આવ્યા છે, અને તેનું નિરાકરણ એટલા માટે નથી આવતું કે બાબુઓ અને થર્ડ પાર્ટી સહિતના કથિત મિલાપીપણું કરી અને સરકારની આંખોમાં ધૂળ નાખી દે છે અને લોકોના રોષનો ભોગ અંતે સરકારે બનવું પડે છે. તાજેતરમાં જ કાલાવડ વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે, ત્યા પણ કામમાં વેઠ ઉતારીને ઠેકેદારો બીલો મુકે છે અને મળેલા બાબુઓ બીલો પાસ પણ કરી દે છે,
પણ કામમાં ખરેખર સેન્ડ બેન્ડિંગ એન કેસિંગ જે કામનો મહત્વનો ભાગ છે તે થાય કે કેમ..? ખાલી ચોપડે જ થાય છે કે કેમ..? આવી સ્થિતિ વચ્ચે સૌથી રસપ્રદ બાબત હોય તો તે છે કે સિંચાઈ વિભાગમાં થી નિવૃત થઇ ચુકેલા પણ કેમ “કામ” ઉતારાવામાં આવે અને કોઈને ખબર ના પડે તેવા માસ્ટર હોય તેવા ખાસ પ્રકારના અનુભવીને વારંવાર ઉચ્ચકક્ષાએ થી તક આપવામાં આવે છે. અને તેરી ભૂ ચુપ મેરી ભી ચુપની જેમ બધાનું સચવાયેલું રહે છે. પણ આવા ડ્રીમ પ્રોજેક્ટમાં ખરેખર તો કામની ગુણવતાના માપદંડો નેવે મૂકી દઈ અને લાલીયાવાડી રાજકીય ઓથ હેઠલ ચાલી રહી છે, જેના છાંટા સીધા જ સરકારને ઉડી રહ્યા છે.