Mysamachar.in-જામનગર:
જામનગરમા કેનાલ સફાઇમા ટેકનોલોજીના ઉપયોગ કરવાની વાત થાય છે, પરંતુ અનેક વિસ્તારોમા કેનાલ ઉપર તો સ્લેબ ભરાયા છે, ત્યા સફાઇ કેમ થશે? અને વરસાદી પાણી ભરાશે તો ગંદકી પણ ઉભરાશે તેનુ આયોજન નથી અને વરસાદ સામાન્ય થી હળવો તો શરૂ થઇ ગયો પરંતુ હજુ કેનાલ સફાઇ સો ટકા નથી પુરી થઇ અને 53 લાખના ખર્ચને ન્યાય મળશે કે જેમ- તેમ કામ થશે? વગેરે અનેક મુદા હાલ તો ઉઠ્યા છે,
જામનગર મહાનગરપાલિકા દ્રારા દર વર્ષે રૂ, 50 થી 60 લાખના ખર્ચે કેનલોમાં પ્રિ-મોન્સુન પાછળ ખર્ચ થતો હોય છે, જે વરસાદી પાણી રણમલ તળાવમાં લાવતી અને તળાવ ઓવરફ્લો થાય ત્યારે તળાવના પાણીના નિકાલ માટેની કેનાલ સ્વચ્છ રહે તે માટેનું આયોજન હોવાનુ કહેવાય છે ત્યારે આ વખતે આ કેનાલની સફાઈ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે જેથી કેનાલો કાયમી સ્વચ્છ રહે તેવા પોકળ દાવા કરાયા છે, જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં વરસાદના પાણી માટેની કેનાલો જુદા-જુદા વિસ્તારોમાં આવેલ છે. આ કેનાલની કુલ લંબાઈ 40 કિ.મી. જેવી થાય છે. આ વરસાદી પાણી માટેની કેનાલની સફાઈ અને કાયમી સ્વચ્છતા બની રહે તે અંગે મહાનગરપાલિકા દર વર્ષે એક વખત માત્ર ચોમાસા પહેલા પ્રિ-મોન્સુનમાં કોન્ટ્રાકટર દ્રારા સફાઈનું કામ કરવામાં આવે છે.
આવી કેનાલોમાં ગંદકી સાથે પ્લાસ્ટિક પણ ખૂબ હોય છે. અનેક સ્થળે કેનાલો ગંદકી અને કચરથી ભરાઈ ગયેલ કમી હોય છે. શહેરમાં લાલપુર ચોકડી થી પવનચકકી સુધી અને તળાવના પાછળ ના ભાગમાં જ્યાંથી તળાવ ઓવરફ્લો થતમ પાણીનો નિકાસ થાય છે તે કેનાલ સાત રસ્તાથી ખોડિયાર માતાજીનાં મંદિર સુધીની ખુલ્લી છે. બીજી કેનાલ સાત રસ્તા થી ગુરુદ્વારા થઈને અંબરચોકડી સુધીની ઓપન છે. આ કેનાલમાં ગંદકી પણ ખૂબ રહે છે. ત્યારે કેનાલની સફાઈ બાબત ઉપર ખાસ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું પરંતુ બાદમા આ ધ્યાન કોન્ટ્રાક્ટ ના બીલ પુરતુ સિમિત થયાના જાણકારો આક્ષેપ કરે છે,
હાલમાં જે રીતે સફાઈનું કામ કરવામાં આવે છે તેના બદલે આધુનિક ટેક્નોલોજી સાથે કેનાલની સફાઈ કરવાનું આયોજન વિચારણા હેઠળ છે આ મશીનો કેનાલની અંદરના ભાગે જઈ સફાઈ કરશે અને તેનો કચરો બહાર ફેકશે. જેથી મોટાભાગે જે મેન્યુલી કેનાલ સફાઈનું કામ થાય છે તેના બદલે યાત્રિક મશીનોની મદદથી સફાઈ કરવામાં આવશે. જેથી કેનાલની સફાઈ સમયે કોઈ અકસ્માતનો પણ ભય ન રહે એવા દાવા વચ્ચે ખરેખર શુ થયુ તે જાહેર થયુ નથી પરંતુ આ આધુનિક સાધનો આવે ત્યાં સુધી કેનાલોની સફાઈ માટે એક આયોજન પણ કરવું પડશે હાલ તો જેવુ તેવુ ગણાય તેમ એક જ એજન્સી દ્રારા જેસીબી અને મેન્યુલી સફાઈનું કામ હાથ ધરાયુ છે અને જેથી કેનાલની આસપાસ જે લોકો ગંદકી ફેલાવી રહ્યા છે. તેની સામે પણ સૂચના આપી ગંદકી ન કરવા કડક સૂચનાઑ અપાઇ છે,
પરંતુ ટોટલ સફાઇ નુ શુ? આ એક જ પાર્ટી કેટલી જગ્યાએ એક સાથે કામ કરે છે કેટલો કચરો નીકળ્યો તે કચરો પ્રદુષણ ન ફેલાય તેમ ક્યા નિકાલ કર્યો વગેરે બાબતો ની મનપા બીજી કામગીરી ની જેમ યાદી જાહેર કરે તે જરૂરી છે, બીજી તરફ જામનગર મહાનગરપાલિકા દ્રારા જે જ્ગ્યા ઉપર ખુલ્લી કેનાલો આવેલ છે તે કેનાલોની સફાઈ થઈ શકે તે રીતે કેનાલો ઉપર ઢાકવા માટે મજૂરી પણ આપવાનું આયોજન કાર્યરત છે. જેથી કેનાલો માં કચરો કે પ્લાસ્ટિક નાખી જ ન શકે. કાયમી કેનાલો સ્વચ્છ બની રહે. ખુલ્લી કેનાલો અંગે પણ બંધ કરવા માટે પણ ઇજનેરો પાસેથી માહિતી ના આધારે કામગીરી કરવામાં આવશે તો પછી સફાઇ કેમ થશે?
જામનગર મહાનગરપાલિકા રણમલ તળાવમાં શુધ્ધ પાણી આવે તે માટે ખાસ આ વર્ષે કાળજી રાખવી જરૂરી છે હાલ તો ગંદકી આવી રહી છે. જે કોઈ કેનાલો માં ગટરના પાણી સહિત નો કચરો ફેકે છે તેની સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવી જરૂરી હોવા છતા ઠોસ કાર્યવાહી થઇ નથી, જે કોઈ સ્થળે કેનાલો માં ગંદકી છે તેની સફાઈ નું કામ હાલ કાર્યરત છેતેમ કહેવાય છે અને વરસાદી પાણી કેનાલોની સફાઈ સાથે પાણીના અવરોધરૂપ જે દબાણો આવે છે કે કેમ તે અંગે પણ માહિતી મેળવામાં આવી છે. પ્રિ મોન્સુન દરમ્યાન કેનાલોની સફાઈ ના કામગીરી અંગે પણ સતત ઇજનેરો દ્રારા દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. વગેરે દાવા વચ્ચે કામગીરી નબળી હોવાની ચર્ચા થાય છે,
કોર્પોરેશન નો એવો પણ દાવો છે કે જામનગરના રણમલ તળાવમાં વરસાદી પાણીનું ટીપે ટીપું આવે તે પાણી નો માટે જરૂરી સૂચના ઈજનેરોને આપી દેવામાં આવી છે. કેનાલી સફાઈ કે કોઈ જ્ગ્યા એ લીકેજીગની બાબત ચેક કરાશે.જેથી રણમલ તળાવમાં વરસાદી પાણી ની પૂરતી આવક આવે તે જરૂરી છે. પરંતુ સો ટકા કેનાલ સફાઇ અડધા કરોડ ખર્ચી ને પણ થઇ જશે? એક જ પાર્ટી પહોંચી વળશે? આ કામગીરી યોગ્ય થાય છે કે નહી? તે સવાલો કરદાતા નાગરીકો મા પણ છે.