Mysamachar.in-જામનગર
ગુજરાત રાજ્યમા આરોગ્ય કર્મચારીઓ સહિત જુદા-જુદા વિભાગના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણાય છે પરંતુ પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ જે અછત હોય વરસાદ હોય કે અતિવૃષ્ટી હોય કે ભંગાણ પડ્યુ હોય રાત દિવસ એક કરી ગામેગામ પાણી નિયમિત પહોચાડે છે અને રજા રાખ્યા વગર રોજ ફરજ બજાવે છે તે વિભાગના અમુક કોરોના પોઝીટીવ આવ્યા એકનુ દુખદ મોત થયુ છતા સરકાર આ વિભાગના આ ભયંકર રોગગ્રસ્તોને કંઇ રાહત કે સહાય આપતી નથી અને કોરોના વોરિયર ગણતી નથી, પાણી પુરવઠા બોર્ડમાંથી જાણવા મળ્યા મુજબ ગતતા.22/03 થી લોકડાઉન ચાલુ થયું હતું ગુજરાત રાજ્યનો મેડિકલ પેરામેડીકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ, PGVCL, જિલ્લા પંચાયત આરોગ્ય સ્ટાફ, મહાનગર અને નગરપાલિકા સ્ટાફને સરકારે કોરોના વોરિયર્સ તરીકે સંબોધન આપી સન્માન કરે છે.
અને તે પૈકી કોઈનું કોરોના દ્વારા મૃત્યુ થાય તો સરકારી સહાય પણ આપવામાં આવે છે, પરંતુ સરકારી કચેરી બંધ હતી પરંતુ તા.22/3 થી આજદિન સુધી શનિ રવિ અને જાહેર રજા માં પણ જામનગર પાણી પૂરવઠા વિભાગના કર્મચારીઓ અધિકારીઓ પોતાની ફરજો પૂર્ણ નિષ્ઠાપૂર્વક બજાવેલ છે, જામનગર મહાનગરપાલિકા હોય કે ધ્રોલ-સિક્કા-જામજોધપુર નગરપાલિકા હોય અથવા જોડિયા-લાલપુર અને અન્ય 400 ગ્રામ પંચાયતને નિયમોનુસાર નિરંતર પીવાનું પાણી પહોચાડ્યું છે એપ્રિલ-મેં-જૂન માસમાં ઉનાળાની પરિસ્થિતિમાં પણ એક પણ ફરિયાદ વગર વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓએ કામ કર્યું છે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો ઘરે હોય વધુ પાણીની જરૂરિયાતો હોય અને મજૂર માણસોની અછત કે માલસામાન અને વાહન વ્યવહાર ઠપ્પ હોવા છતાં લોકો ને પાણી પહોંચાડેલું છે,
તે કામગીરીના વાઉચરનું નિયમોનુસાર સમય મર્યાદામાં પેમેન્ટ એજન્સીનું ઓનલાઈન ફંડ ડિમાન્ડ આ બધા કાર્યો માટે ટેક્નિકલ અને હિસાબી શાખા તેમજ રોજમદાર કર્મચારીઓએ 8 કલાક થી વધુ ફરજો બજાવેલ છે. જુલાઈ માં જામનગર જિલ્લામાં વધુ પ્રમાણમાં વરસાદ આવવાથી ઘણી પાઈપલાઈન ડેમેજ થયેલ હોવાથી 24 કલાક રોજમદાર પાસે કામગીરી પૂર્ણ કરાવવી પાણી પુરવઠો ચાલુ કર્યો હતો, ગુજરાત રાજ્યમાં પાણી પુરવઠા બોર્ડના 4 મુખ્ય ઈજનેર સહિત અધિક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર અને અન્ય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયેલ છે અને જામનગર ના કર્મચારીનું કોરોનાના કારણે દુઃખદ નિધન થયેલ છે, ત્યારે ગુજરાત સરકારે પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરી દુઃખદ અવસાન સમયે કર્મચારીઓ ને નાણાકીય સહાય આપે તે ખરેખર જરૂરી અને માનવીય અભિગમ ગણાશે તેવી આ સંવેદનશીલ સરકાર પાસે અપેક્ષા રખાઇ છે.