Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામા તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા પુલના કામની અને માર્ગ મકાન ની અણઆવડતની પોલ સામાન્ય કહી શકાય તેવા વરસાદે ખોલી નાંખી છે અને ગાબડા પડ્યા છે,તા.૧૦.૬.૨૦૨૦.ના રોજ જામનગર જિલ્લાના જામજોધપુરમા આવેલ સિધેશ્વર પુલ હજી તો નવો બનાવીને ૧૫ દિવસ પેલા ખુલો મુકાયો છે ને હજી તો જામજોધપુરમાં સામાન્ય વરસાદનુ આગમાન થતા જ પુલની હાલત ફોટામા જોવા મળી રહ છે, PW D ના વલ્લભભાઈ ને ફોન અને આ પુલની બન્ને સાઈડો તૂટી જવા વિષે જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ ઘણું બધું કહી જતો હોય તેમ પેલા વરસાદ મા તો થોડું ટુટે તેમ જણાવતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.
-ગાબડા તો પડે
આ સમગ્ર પ્રકરણમાં નબળા કામથી ય વધુ ગંભીર બાબત ” ગાબડા તો પડે……” એવો જવાબ અપાયો તે છે નબળા કામમા લાજવાને બદલે ગાજતા જવાબદારનો જવાબ પ્રજાના નાણા બરબાદ કરી અસુવિધા ઉભી કરનારો છે કેમકે આવા જોખમી પુલ ઉપરથી લોકો પસાર કેમ થઇ શકે?? માટે આ પુલના કામની ઉંડી તપાસની તાતી જરૂર છે.