Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલીકામા કામો મંજુર થયા બાદ પાછળથી વધારાના ખર્ચ મંજુર થાય તે કંઇ નવી બાબત નથી, પરંતુ એમા સવાલ એ ઉભો થાય કે ઓછા ભાવવાળુ ટેન્ડર મંજુર કર્યા બાદ ભાવ વધારો મંજુર થાય તો સરવાળે તો બધુ ઇ નુ ઇ જ થઇ જાય આ પ્રકારની ચોક્કસ પ્રેક્ટીસ કોના “લાભાર્થે” થાય છે, તે ધીમે-ધીમે હવે લોકો જાણતા થઇ ગયા છે, જોકે આ પ્રેક્ટીસ અવિરત હોય છે, અને આજકાલથી નથી ચાલતી તેની પાછળના કારણ ચોક્કસ હોય છે, અને ચાર થી પાંચ લગતનુ પ્રત્યક્ષ અને પરોક્ષ હિત સંકળાયેલુ હોય છે, કોર્પોરેશનમા થતી ચર્ચા મુજબ આ રીતે અનેક માનીતી પાર્ટીઓને પહેલા નીચા ભાવે કામ આપી પાછળથી વધારો મંજુર કરાય છે આ પ્રેક્ટીસ અવિરત ચાલે છે,
મનપા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની મોટાભાગની બેઠકોમાં કરોડો રૃપિયાના કામોનો તેના ખર્ચને મંજુર કરવામાં આવે છે અને કેટલીય બેઠકમાં કેટલાક ચોક્કસ મળતિયાઓને ફાયદો પહોંચાડવાના કારસા થઈ રહ્યા હોવાના આક્ષેપ થયા છે, દરેક કોન્ટ્રાક્ટ અને કામમાં પાછળથી ભાવ વધારો શા માટે ભાઈ…તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે, જો કે વિપક્ષ બધું જાણે છે છતાં મૂંગું મંતર બેસીને તમાશો જોવા સિવાય કાઈ ખાસ કરતું નથી એવામાં આજે વળી વિપક્ષ નેતા આનંદ રાઠોડે આ મામલે એક યાદી જાહેર કરીને અવાજ ઉઠાવવાનો પ્રયાસ તો કર્યો છે પણ આ અવાજ બુલંદ રહી અને પહોચવાનો છે ત્યાં પહોચશે કે અવાજ દબાઈ જશે તે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલ સાથે ઉભો થયેલ સવાલ છે.
કારણ કે કેટલાક જાગૃત નાગરીકો વિપક્ષનું પણ શાશકો સાથે ઇલુ ઇલુ છે તેવા સવાલો ઉઠાવતા રહે છે, અને આવા સવાલો સહેજે ઉઠે કારણ કે સામાન્ય મુદ્દાઓ પર ચેમ્બરોના ઘેરાવ કરવા બેસી જતા વિપક્ષના સભ્યો આર્થિક હિતને લગત બાબતે કેમ મૂંગા બની જાય છે, કે પછી જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી સિવાય બોલવાની મનાઈ છે.? ચોક્કસ “સંકલન” દ્વારા લાગતા વળગતા કોન્ટ્રાક્ટરો અને વ્યક્તિઓને લાભ મળે તેના માટે આવી પ્રેક્ટીસ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે. શહેરના વિકાસને લગત કોઈપણ કામો હોય મંજુર કરેલા ભાવમાં સ્થાયી સમિતિમાં પાછલા બારણેથી ખર્ચમાં જંગી વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે આવું કરવા માટેની સૂચનાઓ પણ હોય અને કરવું પડતું હોય કે નિયમ મુજબ થયું તે તપાસ માગી લેતો વિષય છે.
આજે વિપક્ષ નેતા આનંદ રાઠોડે આ મામલે ગંભીર સવાલ ઉઠાવ્યો છે અને આ સવાલનો જવાબ ના મળે ત્યાં સુધી વિપક્ષ નેતાએ લડત આપવાની તૈયારી બતાવી છે,અને જો આવું થશે તો મનપાને મોટો આર્થિક ફાયદો થશે.જામનગર મહાનગરપાલિકામાં દર વર્ષે સિવિલ વર્ક, ભૂગર્ભ ગટર કે વોટર વર્કસના કામો બહાર પડે છે.તેની ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે. હમણા જ છેલ્લા વર્ષોથી તે કામોના ભાવ આવતા હોય છે.તે કામોના ભાવ છેલ્લા કેટલા સમયથી 35 થી 60% ડાઉન ભાવો આવે છે. જે ડાઉન ભાવો આવે છે. તેનાથી મહાનગરપાલિકાને ફાયદો થવાનો હોય છે.પણ તેમાં એવું કશું નથી થતું માત્ર નાના કામો કે મોટા કામોના બીલ જ બનાવવામાં આવે છે તેનું કારણ એ છે કે જો આટલા ટકા સુધી ડાઉન ભાવના ટેન્ડર ભરવામાં આવતા હોય છે.તો સિમેન્ટ, રેતી, પાઈપ, લોખંડ તથા મજુરી મોંઘવારી પ્રમાણે આવા ડાઉન ભાવ કઈ રીતે પોસાય….??
વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા રજુઆતમાં જણાવ્યું છે કે સાઈટ ઇન્જિનીયર અને અમુક મોટા અધિકારીની મિલી ભગતથી આવા ડાઉન ભાવ વારા કોન્ટ્રાકટરો રૂપિયા તૂટવાને બદલે કમાઈ છે.તેનું માત્ર ને માત્ર કારણ એ છે કે કે ખોટા બીલો બનાવવામાં આવે છે, અને ટેન્ડરના નિયમ પ્રમાણે કામો થતા હોય છે, તેમાં સાઈડ ઇજનેર તથા કોન્ટ્રાકટરના મોટા માનીતા ઇજનેર સામેલ હોય છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય છે. છતાં કમિશ્નર કે ડે.કમિશ્નરના ધ્યાને નથી આવતું તે વાત પણ નવાઈ પમાડે તેવી છે.
ખાસ કરીને જી.પી.એમ.સી.ના નિયમમાં 5 લાખથી ઉપરના કામમાં ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ પણ સ્ટે.કમિટીમાં 15 થી 20 લાખના કામ ટેન્ડરની પ્રક્રિયા વગર કામો આપી દેવાય છે.તેવા બનાવો કમિટીમાં કામો આપવામાં આવેલ છે.તે કોન્ટ્રાકટર મામા માસીના અને ભાજપના હતા.અને હાલમાં જામનગર શહેરમાં એક-બે વર્ષમાં જે રોડ બનાવેલા છે.તે તૂટી ગયા છે.મેન્ટેનશનના કામોમાં તો 30 થી40 લાખનું વાર્ષિક ટેન્ડર કામ કરાવવાનું હોય છે.365 દિવસ કામોમાં માત્ર મેન્ટેનન્સ 200 થી 250 દિવસ રોજ-બરોજ ના કામો ચાલુ હોય છે અને એ કામો માટે માત્ર 2 થી 3 મજૂરોથી 30 લાખ જેવી રકમોના કામો વાર્ષિક પૂર્ણ કરી દેવામાં આવે છે.
આટલા ટકા ડાઉન ભાવોથી કોન્ટ્રાકટરો કામ કરવા તૈયાર હોય એની પાછળ કોઈ ભ્રષ્ટાચારને છાવરવા મોટું બહુ પરિબળ કામ કરી રહ્યું હોય તેવું વિપક્ષ નેતા નું માનવું છે .ભારતીય જનતા પાર્ટીના શાશકો એમ કહે છે કે જામનગર મહાનગર ભ્રષ્ટાચાર મુક્ત કર્યું છે.તો આટલા ડાઉન ભાવમાં કોઈ દિવસ કોન્ટ્રાકટરોને બોલાવીને નેગોસીસીએસન કે આર.એ કર્યું ખરા.? ના નથી કરતા કારણ કે કોન્ટ્રાકટરોની છેલ્લા 5 થી 7 વર્ષની હિસ્ટ્રી ચેક કરવામાં આવે તો પદાધિકારીઓના મામા માસી ના જ કોન્ટ્રાકટરો હોય છે.કા તો પાર્ટીના હોદેદારો કે વોર્ડ પ્રમુખોના કે પછી ભાજપના કોર્પોરેટર કા તો પદાધિકારીઓના લગત હોય છે. તેથી આવા ડાઉન ભાવોથી જે પાર્ટી કામ કરતી હોય તેની વિજીલન્સ તપાસ થવી જોઈએ તેવી કમિશ્નરને સંબોધીને લખેલ પત્રમાં વિપક્ષ નેતા આનંદ રાઠોડે માગ કરી છે.