Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલીકાના મેયર છે તે ખરા મેયર નથી?? કોઇ સુપર મેયર પણ છે?? વિપક્ષનો આ જનરલ બોર્ડમા કરાયેલો આક્ષેપ શહેરમા તેમજ ખાસ કરીને રાજકીય વર્તુળોમા ચર્ચા છે કે આવા આક્ષેપ કેમ થયા?? તેમજ આક્ષેપ બાદ મૌન કેમ??એવા આક્ષેપો રાજ્ય લેવલે સાંભળવા મળતા હોય છે કે ગુજરાતની સરકાર જેમ દિલ્હીથી ચાલે છે તેમ જામનગર મહાપાલિકા પણ બીજેથી ચાલે છે?? શુ ભાજપની આ પરંપરા હશે?! શુ કહ્યાગરાને પદ પર બેસાડાતા હશે?? તો પછી સંગઠનમાય એવુ હશે?? વગેરે સવાલો બોર્ડ બાદ હવે ઉઠ્યા છે કેમકે ત્યારે વાવાઝોડા વરસાદ વગેરે ભિતીમા સૌ બે ત્રણ દિવસ વ્યસ્ત હતા તેમાથી મોકળાશ મળતા હવે પક્ષ સહિત બધે જ ચર્ચાઓ આ જ થાય છે તેમ ચબરાકો જણાવે છે,
જાણકારો એમ પણ ઉમેરે છે મેયર એ આમ તો કશુ ખાસ કરવાનુ નહી હોતુ પરંતુ પદનુ મહત્વ છે જો કે તેમને બેસાડનારા તેમનાથી વધુ પદ કે હોદાવાળા હોય જ માટે તેમનુ માનવુય પડે તે સ્વાભાવિક છે ત્યારે બંધ બારણાની અમુક મીટીંગોમા કોઇ કોઇ માહિતી કોર્પોરેશનની લીક થાય તે મુદે તાડુકતા આ બેન આક્ષેપ સામે મૌન કેમ રહ્યા હશે?? વળી સંકલનમાં જે નક્કી થયુ તે બાબતે જ ખાલી મંજુર મંજુર કે ના મંજુર વગેરે બોલવાનુ હોય છે પરંતુ વિપક્ષના સવાલ પણ કાયદા મુજબ ધ્યાને લેવાના હોય છે ભલે મેયર પાસે ઉકેલ ન હોય પરંતુ શાંતિથી સાંભળી હૈયાધારણા પણ ન આપી શકાય ?? એ લોકો પણ પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધી છે જે રજુઆત હોય તે પ્રજાનો અવાજ હોય કે શાસક પક્ષના સભ્યો તો મોટાભાગે સમસ્યાઓનું બોલવાના જ નથી તે તો વણ લખાયેલો નિયમ છે હા કોક સિનિયર ક્યારેક વેદના ઠાલવે પણ બાદમા તે દિશામા ઠોસ કાર્યવાહી થતી નથી,
શહેરમા હાલ રોગચાળો….સફાઇ…..ઢોરના ત્રાસ…કોરોના દર્દીઓની હાલાકી….પાણી વિતરણના ધાંધીયા….ત્રીજુ સ્મશાન નવુ બનાવવુ વગેરે અનેક પ્રશ્નો વિપક્ષને પુછવા હતા પરંતુ મેયરએ બોર્ડ સંકેલી લીધુ માટે કોઇ આકાઓએ સુચનાઓ આપી હશે કે એજન્ડા મુજબ “આપણા” સચવાય જાય એટલે બોર્ડ પુરૂ જાહેર કરી દેવુ??? તેમ શંકા કુશંકા કરી વિપક્ષે સુપર મેયરવાળો મુદો ઉઠાવ્યાનુ ચર્ચાય છે વળી સમિતિઓમા વિપક્ષને સ્થાન નથી આપ્યુ બીજી તરફ ગુજરાત વિધાનસભા પણ વિપક્ષી ધારાસભ્યોને જુદી જુદી સમિતીઓમા સ્થાન આપે છે અમુકમા તો સમિતીના અધ્યક્ષ બનાવે છે પરંતુ જામનગર મહાનગરપાલિકામા તેમ થયુ નથી જો કે આ સમિતીઓને ખાસ કઇ સતા પણ નથી હોતી જોકે આ વખતે આ સમિતીઓના નિષ્કર્ષને ગંભીરતાથી લઇ અમલ કરવાનો મુદો ફાઇલમા પડ્યો છે જો તે મુજબ થાય તો જ ખરૂ કેવાય
દરમ્યાન મેયરને સૌ પ્રથમ વખત જેમણે મનપા કોર્પોરેટરમા પદાર્પણ કરાવ્યુ હોય તેવા કોઇ નેતાનુ કે તે નેતા દ્વારા ઇન્ડાયરેક્ટ કોઇ દ્વારા મળતી સુચના માર્ગદર્શન વગેરે મુજબ મેયર વર્તન કરતા હશે?? કે બીજા કોઇ નેતાઓનુ જે હાલ મુખ્ય પ્રવાહમા છે તેમનુ માનતા હશે કે સંગઠનનુ માનતા હશે?? વગેરે મુદાઓ અસ્પષ્ટ અને સમીક્ષાજનક છે પરંતુ સુપર મેયરનો આક્ષેપ વિપક્ષે કર્યો તે બાબતના કારણે આવી રાજકીય ચર્ચાઔ થાય છે ત્યારે સતાધારી પાંખે પણ વિચાર કરવો જોઇએ તેમજ મેયર ખુદ પણ વિચારે કેમકે તેમના માટે સુપર મેયર કોઇ બીજા હોય તો તેમને શુ કરવાનુ??
જો કે અમુક લોકો કહે છે કે એવુ ન હોય આ મેયર તો સીદ્ધાંતને વરેલા છે પ્રજાભિમુખ છે તેમજ કોરોના કેર સેન્ટર જુદા જુદા કેમ્પ જુદી-જુદી મીટીગો ઓફીસ નિરીક્ષણ વિસ્તારોના નિરીક્ષણ વગેરે ફોટા પડાવવા નથી કરતા પ્રજા માટે કરે છે તેમજ વિભાગોને જરૂરી સુચનાઓ પણ લોકોના કામો માટે સુચનાઓ આપે છે મનપાના વિભાગોના સો એ સો ટકા તેઓ કહે છે તેમ નથી થાતુ એ વાત અલગ છે પરંતુ તેઓ ફરજ બજાવે છે તેમજ મહત્વની મીટીંગોમા જરૂર પડે તો ઉગ્ર પણ થઇ અને સૂચનાઓ આપે છે, જોકે તેમના સુચન આગ્રહ વગેરે દર વખતે સંકલન કે સ્ટેન્ડીંગ કે વહીવટી પાંખ માન્ય રાખી ન શકે તે પણ અલગ બાબત છે.