Mysamachar.in-જામનગર
આપને ત્યાં એવી કહેવત છે કે ગાજ્યા મેહ વરસે નહિ તેવું જ જામનગર મહાનગરપાલિકાના LED લાઈટ પ્રોજેક્ટમાં પણ થયું છે, કારણ કે બહુ બધા બણગા આ પ્રોજેક્ટને લઈને ફૂંકવામાં આવ્યા પણ પરિણામ તો ના આવ્યું પણ આ પ્રોજેકટના વર્ષો વીતી ચુક્યા બાદ જે તે સમયના અને હાલના અધિકારીઓ હજુ પણ આ પ્રોજેક્ટને લાગત અનિયમિતતાઓ અને ક્ષતિઓના જવાબ ઓડીટને આપી શક્યા નથી, કે પછી આપવા માંગતા નથી…કારણ કે વર્ષ 2017-18 ના અહેલ્વામાં આ પ્રોજેક્ટ અંગેનો વિસ્તૃત રીપોર્ટ પણ જોડવામાં આવ્યો છે, પણ આ જ સ્થિતિ વર્ષ 2018-19 ના વર્ષમાં પણ યથાવત રહી છે અને આ મામલે કેટલીક વધુ ચોક્કસ બાબતો સામે આવી છે,
થોડા વર્ષો પૂર્વે જામનગર શહેરમાં LED લાઈટનો એક રૂપકડો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો, અને તેની સફળતાના કહેવાતા એવોર્ડ પણ મનપાને મળ્યા હતા, પણ વાસ્તવિક સ્થિતિ મનપાની આસપાસ રહેનાર સૌ કોઈ જાણે છે, ચોક્કસ કેટલાકના ફાયદા માટે આ LED લાઈટનો પ્રોજેક્ટ કરોડોના ખર્ચે શરુ કરવામાં આવ્યો હતો અને તેનાથી મોટી એનર્જી સેવિંગ થશે મનપાને ફાયદો થશે તેવા ડાહી ડાહી વાતો પણ કરવામાં આવી હતી, પણ આજની તારીખે આ પ્રોજેકટ કેટલાક વિસ્તારોને બાદ કરતા શહેર માટે કેટલો સફળ તે સૌ જાણે છે. એવામાં એક ઓડીટ અહેવાલમાં પણ આ પ્રોજેક્ટની ઘોર ખોદી અને સત્યને ઉજાગર કરવામાં આવ્યું છે.અને એટલે જ જવાબદાર અધિકારીઓ જે તે સમયના કે હાલના આ અંગે વર્ષોથી પુરતી સ્પષ્ટતાઓ પણ નથી કરી શક્યા તેવું રેકોર્ડ પર નોંધાયેલું છે,
SJMMSVY જ અન્વયે શહેરની તમામ સ્ટ્રીટ લાઇટોને LED લાઇટ વડે બદલવાના પ્રોજેકટ શાખા દ્વારા વખતો વખત કેલકયુલેશન શીટ સાથે રજુ કરાતા બીલો સબંધે ખરેખર એનર્જી સવીંગ કેટલા ટકાવારી થયેલ છે ? આ પ્રોજેકટ શરૂ થયા પછી ખરેખર પી.જી.વી.સીએલ. ના બિલોની કરવામાં આવેલ ચુકવણીની વિગતો એકાઉન્ટ શાખા પાસેથી મેળવી આ પ્રોજેકટ શરૂ થયા બાદ કરવામાં આવેલ ચુકવણા સબંધે ખરેખર નાણાકીય સેવીંગ કેટલું થયેલ છે ? જે અંગેનો સ્પષ્ટ અહેવાલ ખાતાના અભિપ્રાય સાથે રજુ કરવા જોઈએ પણ તેવું થયું નથી.
કોર્પોરેશન દ્વારા પોલ નંબરીંગ આપ કરવામાં આવેલ ગણતરી મુજબ 29186 લાઇટ થી વધારે અગાઉ લાઇટ ન કરવામાં ચુકવણા સબંધે પાર્ટી પાસેથી કરવાની રહેતી રીકવરી અંગે રીકવરી પત્રક બનાવી કમિશ્નરની મંજુરી મેળવી ત્યારબાદ બિલો અન્ય રજુ કરવાની શરતે રનીંગ બિલની ગાણિતિક ચકાસણી કરવામાં આવેલ વિશેષમાં વખતોવખતના ઓડીટ અહેવાલમાં એલ.ઇ.ડી. લાઇટ સબંધે અનિયમિતતા તેમજ ક્ષતિઓ સબંધે સ્પે. રીપોર્ટ સાથે નોંધ રજુ કરવામાં આવેલ હોય જેના જવાબો પણ હજુ ઓડીટ વિભાગ સુધી ના પહોચ્યા હોવાનું સુત્રો જણાવે છે.