Mysamachar.in-જામનગર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામા જનસુવિધાને જ પ્રાયોરીટી હોવી જોઇએ એટલુ જ નહી દરેક ભંડોળનો જરૂર મુજબ નિયમાનુસાર કાયદાનુસાર સદઉપયોગ થવો જોઇએ તે માટે જવાબદારો સૌ અઘોષીત ટ્રસ્ટીઓ જ ગણાય છે, તેમ છતા ખર્ચની યોગ્યતાને ન્યાય તર્ક અને નિયમોના ત્રાજવે તોળવા ઓડીટ થાય છે ત્યારે ઘણા સમય બાદ એક કે જેની નિષ્ઠા (કોર્પોરેશનમા વ્યાપક પોઝીટીવ અભિપ્રાય છે, હા બોલકા વધુ છે તે) વિશે શત્રુને પણ શંકા ન થાય તેવી વ્યક્તિ જેમને આ જ સતાવાળાઓએ ડેપ્યુટી અને સાથે જ ચીફઓડીટરનો ચાર્જ લેવા રાતોરાત સમજાવ્યાને મનાવ્યા હતા હવે એ જ પોસ્ટનુ પ્રમોશન નહી આપવાનો અન્યાય કરવાની દિશામા તેમાના જ કોકનુ ભેજુ કોઇ કારણસર દોડવા લાગતા દેખીતુ છે કે નૈતિકતાનો ભંગ તેમજ કાર્યદક્ષતાનુ સીંચન કરનારને ભારોભાર અન્યાય જ થાય તેમજ ફરીથી જામનગર કોર્પોરેશનના ખરા શાસકોની નિતિમતાનુ ધોરણ કસોટીની એરણે ચડે ને આ મહત્વની પોસ્ટ માટે પ્રમોશનનો વિલંબ કે ટાળવાનો પ્રયાસ થાય તે પણ કર્મચારી-અધીકારીના નિવૃતિના ગણતરીના જ માસ પહેલા…તે બાબત સમીક્ષાજનક તો બની જ છે,
કેમકે પ્રમાણીકને યોગ્ય બદલો આપવાનુ ઉદાત વલણ જ શાસકોને લોકપ્રિય બનાવે અને તેમ કરવાથી પાત્રતા ધરાવનારને નૈતિકબળ મળતા મોરલ જળવાયેલુ રહે જેનો લાભ કોર્પોરેશનની સીસ્ટમને જ મળવાનો છે માટે ન્યાયી પ્રક્રિયા આ બાબતે થાય તેવા એક્સપર્ટ ઓપનીયન જાણવા મળ્યા છે કેમકે કોઇનુ હિત અહિત બંને વચ્ચેની બારીકાઇ તેમજ સંસ્થાનુ ખરૂ હિત અહિત બંને પ્રજા હિતમા વિચારતા રહેવા જરૂરી છે,
આ બાબતે જોવા મળતી સ્થિતિની છણાવટ કરીએ તો જામનગર મહાનગરપાલિકાનો વહીવટ રાજકીય મેદાન બનતુ રહ્યાના દ્રશ્યો ઘટનાઓ સાવ કોમન બનતા જાય છે, તેમાય હજુ તો જેએમસી ટેકનીકલ યુનિયનની રજૂઆત મુદ્દાસર કમિશ્નર સુધી પહોચી છે અને જો તેનો નિવેડો ના આવે તો ટેકનીકલ કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ પર જશે તો શહેરની સ્થિતિની કલ્પના કરી શકાય તેવું છે, આ મામલો હાલ ખુબ જ ગરમાયેલો છે, ત્યાં જ વધુ એક લાયક અને નીર્વાવાદ હોવા છતાં એક અધિકારીને ધરાર પ્રમોશન નહી આપવા રચાયેલ ખેલ ખુલ્લો પડી રહ્યાનું લાગી રહ્યું છે તેમ છાના ખુણે ચર્ચાય છે,
જે રીતે વિગતો જાણવા મળી રહી છે તે ધ્યાને લઇએ તો જામનગર મ્યુ. કોર્પો.ના ચીફ ઓડીટરની કચેરીમાં સ્ટાફ જ નથી અને છે તેમાંથી મોટાભાગનો બિનઅનુભવી સ્ટાફ છે, છતાં હાલના ઓડીટ શાખા મુખ્ય અધિકારી જયેશ જોશી જેને ખરેખર પરસેવો પાડી સંસ્થાને પોતાની માની વિભાગનું કાર્ય ગતિશીલ બનાવવા ઇન્ચાર્જ હોવા છતાં જહેમત કરી રહ્યા છે,વધુમાં આ અંગે એવો પ્રકાશ પાડી શકાય તેવી બાબત એ છે કે ચીફ ઓડીટર કાર્યાલયના સીનીયર ઓડીટર જયેશ જોશીએ 1/10/2019 થી ચીફ ઓડીટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ અને તેમને નિયમ મુજબ, સીનીયોરીટી મુજબ લાયકાત અને જનરલ બોર્ડના ઠરાવ મુજ્બ ડેપ્યુટી ચીફ ઓડીટર તરીકેનું પ્રમોશન ધારે તો આપી શકાય તેમ છે પણ ચોક્કસ ગોઠવણ બંધ બેસતી નથી કે શુ તેવા સવાલ તે બાબત હાલના બિનજરૂરી વિલંબથી ઉઠે છે અને જયેશ જોશી જે ત્રણમાસની અંદર રીટાયર્ડ થઇ રહ્યા છે.
ત્યારે તેમના માટે ન્યાયસંગત નિર્ણય લઇ સતાની સંતુલીતતાનુ પ્રોપર અને કમીટમેન્ટ મુજબનો નિર્ણય લેવાના બદલે તેમની જગ્યાએ ચોક્કસ શાસક વ્યક્તિ કે વ્યક્તિઓના માનીતાને સીધા બેસાડવા માટેના ખેલ હાલ આ જહેમતી મહેનતી કર્મચારી-અધીકારીના નિવૃતિના ત્રણ માસ પૂર્વે જ શરુ થઇ ચુક્યા છે કદાચ તેને લગત એક બેઠક પણ ગઈકાલે મનપાની એક ખાસ ચેમ્બરમાં અંદાજે દોઢ કલાક જેટલો સમય ચાલી હતી જેમાં એક હાલના હોદેદાર અને એક પૂર્વ અને કુશળ કાબેલ મહાનુભાવ વચ્ચે થઇ છે અને તે માટે સોગઠા ગોઠવાઈ રહ્યા છે, આં તમામ વચ્ચે જે લાયક છે તેનો વાંક શું છે..? તે પ્રશ્ન અણીયાળો છે જેનો જવાબ સમય આપશે અને ધારે તો શાસક-શાસકો પારદર્શીતાનુ ઉદાહરણ બેસાડી શકે તેવી તક પણ છે.