Mysamachar.in: જામનગર
થોડા દિવસો પૂર્વે જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં જામનગર પીજીવીસીએલની સ્થાનિક મીઠી નજર હેઠળ ચાલતી વીજચોરીનું રેકેટ ઝડપાયા બાદ જામજોધપુર કચેરીથી માંડીને વર્તુળ કચેરી સુધીના અધિકારીઓ કોઈ ને કોઈ કારણોસર મો છુપાવી રહ્યા છે કારણ કે વિજીલન્સ વડોદરાથી ત્રાટકી અને સ્થાનિક સહીત સર્કલ કચેરીનું નાક વાઢી ગઈ તે કેટલું ગંભીર કહેવાય…કારણ કે આ વિસ્તારના જાણકારો કહે છે કે સ્થાનિક વીજ વિભાગની મીઠી નજર હેઠળ આ રેકેટ ચાલવું અશક્ય છે.માટે જ કદાચ અધિકારીઓ હવે જયારે આ અંગેની માહિતીઓ પૂછવામાં આવે ત્યારે એકબીજાને ખો આપે છે અથવા તો છટકી જવાનો પ્રયાસ કરે છે.
આ તમામ વચ્ચે જામજોધપુર પીજીવીસીએલના નાયબ ઈજનેર એસ.પી.કણસાગરાની બદલીનો હુકમ થયો હોવાની માહિતી મળતા તટસ્થતાના ભાગરૂપે ક્યાં કારણોસર આ બદલી થઇ તે અંગે my samachar દ્વારા સાચી માહિતી લોકો સુધી પહોચે તે માટે અધિક્ષક ઈજનેર સી.કે.પટેલ પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેવોએ વર્તુળ કચેરીના વડા હોવા છતાં કોણ નાયબ ઈજનેર પહેલા તો એવું કહ્યું…બાદમાં જયારે તેવોને આ અંગે નામ સાથે પૂછવામાં આવતા તેવોએ કહ્યું કે કોર્પોરેટર ઓફિસથી તેમનો ઓર્ડર આવ્યો છે અને રીક્વેસ્ટ ઓર્ડર હોવાનો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે.પહેલા એવું કહ્યું કે મારી પાસે ઓર્ડર નથી બાદમાં કહ્યું કે ઓર્ડર છે પણ આપને આપી ના શકું…હવે આ છે અને નથીની રમત સાહેબની સમજાતી નથી…
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે વીજ વિભાગની વિજલન્સ ટીમ દ્વારા વીજચોરી ઝડપી પાડવામાં આવ્યા બાદ બદલી થતા સ્થાનિક એવી ચર્ચાઓ ચાલી હતી કે તે કારણોસર બદલી થઇ છે પણ ખરેખર નાયબ ઈજનેર દ્વારા કણસાગરા દ્વારા પોતે જ અરજી કરી અને પોતાની બદલી માંગવામાં આવી હતી જે તેમની વિનંતી પર કોર્પોરેટ ઓફીસ દ્વારા તેની બદલી કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. પણ ખુદ અધિક્ષક ઈજનેર જ આવા પારદર્શી બાબતોમાં ગોળ-ગોળ જવાબો આપી અને વાતને ટાળવાનો પ્રયાસ કરે તે બાબત તો કેટલી યોગ્ય કહી શકાય..?
દરમ્યાન એ પણ જોવુ જરૂરી છે કે જામજોધપુર અલગ ડીવીઝન છે ત્યા કાર્યપાલક ઇજનેરનુ પોસ્ટીંગ છે ત્યારે નાયબ ઇજનેરએ બદલી માંગેલી પરંતુ તેનો મતલબ એ તો નથી કે વીજચોરીને પોસવી જોઇએ કેમકે જ્યા સુધી બદલી ન થાય ત્યા સુધી તો વોચ રાખો!!! તેવી ચર્ચા જાણકારોમા છે બીજુ એ કે કાર્યપાલક ત્યાના શુ કરતા હતા??? આટલી જંગી ચોરી અને તે પણ આટલા લાંબા સમયથી એટલે કે મહીનાઓ થતી હતી તે બાબત ડીવીઝન હેડની જાણ બહાર હોય?? ઘણા સોર્સએ પણ વીજવિભાગને મૌખીક લેખીત ફરિયાદ કે જાણ કરી જ હશે તેમ પણ જાણવા મળે છે વળી આ રીતે 11 કેવીની લાઇન અને હેવી ટ્રાન્સફોર્મર વીજવિભાગના કોઇ જાણકાર કે ચબરાકની મદદ વગર ઇન્સ્ટોલ થઇ જ ન શકે તેમજ કોઇને તેની ભનક પણ ન આવી? કે પછી ગોઠવણ હતી? વગેરે સવાલો સહેજે થાય જ તે સ્વાભાવિક છે જો કે આ પ્રકરણ ઘણા ને દઝાડશે અને જો રાજરમત હશે તો સામ સામા તીખારા ઝરે અને આવા કોઇ વધુ કેસ બને તો નવાઇ નહી અને કા તો ગેરકાયદે ચાલતા આવા તાગડધીન્નાઓમા હાલ કદાચ બ્રેક પણ આવે તેવુ જાણકારોનુ અનુમાન છે.